Well come My friends to my Page

Saturday, March 8, 2014

ચાણક્યની આ 5 નીતિ ધ્યાન રાખો, ક્યારેય નિષ્ફળ કે દુઃખી નહીં થાઓ!


ભારતીય ઈતિહાસમાં આચાર્ય ચાણક્યનું મહત્વપૂર્ણ સ્થાન છે. એક સમય હતો જ્યારે ભારત નાના-નાના રાજ્યોમાં વિભાજિત હતું અને વિદેશી શાસક સિકંદર ભારત ઉપર આક્રમણ કરવા માટે ભારતીય સીમા સુધી આવી પહોંચ્યો હતો, ત્યારે ચાણક્યએ પોતાની નીતિઓથી ભારતનું રક્ષણ કર્યુ હતું. ચાણક્યના પ્રયાસોથી જ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય બાળક ભારતના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો અને અખંડ ભારતનું નિર્મામય કર્યું.
ચાણક્યાન કાળમાં પાટલીપુત્ર (વર્તમાનમાં પાટણ) ખૂબ જ શક્તિશાળી રાજ્ય મગધની રાજધાની હતી. તે સમયે નંદવશના સામ્રાજ્ય હતું અને રાજા હતો ધનાનંદ. કેટલાક લોકો આ રાજાનું નામ મહાનંદ પણ બતાવે છે. એક વાર મહાનંદે ભરી સભાવમાં ચાણક્યનું અપમાન કર્યું હતું અને આ અપમાનનો પ્રતિશોધ લેવા માટે આચાર્યએ ચંદ્રગુપ્તને યુદ્ધકળામાં પારંગત કર્યો. ચંદ્રગુપ્તની મદદથી ચાણક્યએ મગધ ઉપર આક્રમણ કર્યું અને મહાનંદને પરાજિત કર્યો.
આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. જે પણ વ્યક્તિ આ નીતિઓનું પાલન કરે છે તેને જીવનમાં બધી સુખ-સુવિધાઓ અને સફળતા પ્રાપ્ત થાય છે.
આપણે કેવી જગ્યાએ રહેવું જોઈએઃ-
આપણે કેવી જગ્યાએ નિવાસ કરવો જોઈએ કે ઘર બનાવવું જોઈએ આ બાબતે આચાર્ય ચાણક્યએ 5 વાતો બતાવી છે. જે સ્થાન ઉપર આ પાંચ વસ્તુઓ ઉપલબ્ધ હોય ત્યાં રહેવું સર્વશ્રેષ્ઠ હોય છે એવા સ્થાન ઉપર રહેવાથી વ્યક્તિ હંમેશા પ્રસન્ન રહે છે.
આચાર્ય ચાણક્ય કહે છે-
धनिक: श्रोत्रियो राजा नदी वैद्यस्तु पंचम:।
पंच यत्र न विद्यन्ते तत्र दिवसं वसेत्।।
આચાર્ચ ચાણક્યએ આ શ્લોકમાં કહ્યું છે કે કે કંઈ જગ્યાએ રહી શકાય....
પહેલી વાતઃ- જે જગ્યાએ કોઈ ધનિક વ્યક્તિ હોય, ત્યાં વ્યવસાયમાં વધારો થાય છે. ધનિક વ્યક્તિની આસપાસ રહેનાર લોકો માટે સારા રોજગારની તકો પ્રાપ્ત થવાની સંભાવનાઓ રહે છે.
બીજી વાતઃ-જે જગ્યાએ કોઈ કોઈ જ્ઞાની વ્યક્તિ હોય, વેદ જાણનારો હોય, તે સ્થાને રહેવાથઓ ધર્મલાભ પ્રાપ્ત થાય છે. આપણુ ધ્યાન પારકર્મ તરફ જતા બચે છે.
ત્રીજી વાતઃ- જ્યાં રાજા કે શાશકીય વ્યવસ્થા સાથે સંબંધિત વ્યક્તિ રહે છે, તે સ્થાને રહેવાથી આપણે શાસનની બધી યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય છે.
ચોથી વાતઃ- જે સ્થાન ઉપર પવિત્ર નદી વહેતી હોય, જ્યાં પાણી પ્રચુર માત્રામાં હોય, ત્યાં રહેવાથી આપણને પ્રકૃતિના બધા લાભ પ્રાપ્ત થાય છે.
પાંચમી વાતઃ- વૈદ્યનું હોવું. જે સ્થાન ઉપર વૈદ્ય હોય ત્યાં રહેવાથી આપણને બીમારીઓથી તરત જ મુક્તિ મળી જાય છે. આથી આચાર્ય ચાણક્યએ બતાવ્યું છે કે આ પાંચ બાબતો જ્યાં હોય ત્યાં રહેવું લાભકારી છે.
ક્યારે થાય છે હિતેચ્છુઓની ઓળખઃ-
પોતાના અને પારકાની પરખ કરવા માટે આચાર્ય ચાણક્ય કહે છે-
आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षेत्र शत्रुसंकटे।
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बांधव:।।
આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં વ્યક્તિની પરખ માટે અલગ-અલગ સ્થિતિઓ બતાવી છે, આ સ્થિતિઓ આ પ્રકારે છે.

-જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભયંકર બીમારીથી પીડિત હોય અને તે સમયે જે લોકો સાથ આપે છે, તે જ સાચા હિતેચ્છુઓ હોય છે.
-જે કોઈ વ્યક્તિને જીવનમાં કોઈ ભયંકર દુઃખ આવી જાય કે કોઈ કોર્ટનો ચુકાદો કે કોર્ટકેસમાં ફસાઈ જાય, તે સમયે જે માણસ ગવાહીના રૂપમાં સાથ આપે છે જે જ સાચો મિત્ર કહેવાનો અધિકારી હોય છે.
-કોઈ વ્યક્તિનું મૃત્યુના સમયે જે લોકો ઉપસ્થિત રહે છે તે જ સાચો હિતેચ્છું હોય છે.





જેની પાસે હોય તેને છોડીને 
                         બીજી વસ્તુ પાસે જવું મૂર્ખામી છેઃ-
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ઘણ લોક પોતાની પાસેની વસ્તુ હોય તેને છોડીને બીજી વસ્તુ પ્રાપ્ત કરવા માટે ભાગે છે, એવી સ્થિતિમાં ઘણીવાર બંને વસ્તુઓ હાથમાંથી નિકળી જાય છે. એવી પરિસ્થિતિઓના સંબંધમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે-


यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते।
ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव हि।।
-આ શ્લોકનો અર્થ છે કે જે વ્યક્તિને ચોક્કસ વસ્તુઓને છોડીને અનિશ્ચિત વસ્તુઓ તરફ ભાગે છે તેમના હાથમાંથી બંને વસ્તુઓ નિકળી જાય છે. આચાર્ય ચાણક્યની અનુસાર લાલચી વ્યક્તિની સાથે મોટાભાગે એવું બને છે અને અંતમાં તે ખાલી હાથે જ રહી જાય છે. આથી જીવનમાં નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની ભૂલો આપણને ન કરવી જોઈએ. સમજદારીથી આપણી પાસે જે વસ્તુઓ હોય તેનાથી સંતોષ માનવો જોઈએ.
રૂપિયા કેવી રીતે બચાવી શકાયઃ-
રૂપિયા કે ધનના મહત્વને જોતા શાસ્ત્રોમાં અનેક નિયમ બતાવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. રૂપિયાના સંબંધમાં આચાર્ય ચાણક્યએ એક મહત્વપૂર્ણ વાત કહી છે...

उपार्जितानां वित्तानां त्याग एव हि रक्षणाम्।

तडागोदरसंस्थानां परीस्रव इवाम्भसाम्।।

આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે કે આપણા દ્વારા કમાવામાં આવેલ ધનનો ઉપયોગ કરવો કે વ્યય કરવાનું જ ધનના રક્ષણ સમાન છે. આ પ્રકારે કોઈ તળાવ કે વાસણમાં ભરેલ ઉપયોગ ન કરવામાં આવે તો સડી જાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે, વ્યક્તિ ધન કે રૂપિયા કમાય છે તો તેનો સદઉપયોગ કરતા રહેવું જોઈએ. ઘણા લોકો ધનની અત્યધિક સંગ્રહિત કરીને રાખે છે, તેનો ઉપયોગ નથી કરતા. જરૂરિયાતથી વધુ ધનનો સંગ્રહ અનુચિત છે. એટલા માટે ધનનું દાન કરવું જોઈએ. યોગ્ય કાર્યોમાં ધનનું રોકાણ કરવું જોઈએ. એ જ ધનની રક્ષણ સમાન છે. જો કોઈ વ્યક્તિ દિવસ-રાત મહેનત કરી રૂપિયા કમાય છે અને તેનો ઉપયોગ નથી કરતો તો એવા રૂપિયાનો શો લાભ છે? હંમેશા રૂપિયાનો સદઉપયોગ કરતા રહેવું જોઈએ. આ પ્રકારે કોઈ તણાવમાં ભરેલ જળ ઉપયોગ ન કરવામાં આવે તો તે સડી જાય છે. એવામાં પાણીને બચાવવું જરૂરી છે અને તેનો ઉપયોગ કરવામાં આવે. એ જ વાત ધન ઉપર પણ લાગૂ થાય છે.



સુખની જ અપેક્ષા રાખતા હોવ તો, ચાણક્યની આ વાત જાણી લોઃ-
સુખ અને દુઃખ, જીવનની આ બે પહેલુ છે, આ બંને જ દરેક વ્યક્તિના જીવનમાં આવતા-જતા રહે છે, હંમેશા ચાલતા રહો. એવું કોઈ વ્યક્તિ નથી જેના જીવનમાં ક્યારેય દુઃખ ન આવ્યું હોય કે તે ક્યારેય સુખી ન થયો હોય. આચાર્ય ચાણક્ય કહે છે...

कस्य दोष: कुले नास्ति व्याधिना केन पीडि़ता:।

व्यसनं केन संप्राप्तं कस्य सौख्यं निरंतरम्।।

એવો કોઈ વ્યક્તિ છે જેના કુળમાં કોઈ દોષ કે બુરાઈ નથી. એવો કયું પ્રાણી છે જે ક્યારેય કોઈ રોગથી ગ્રસ્ત ન થયું હોય. એવું કોણ છે જે હંમેશા જ સુખ પ્રાપ્ત કરતો આવ્યો છે જેને ક્યારેય દુઃખ નથી મળ્યું.

આ બાબતે આચાર્ય ચાણક્ય કહે છે કે પ્રાચીનકાળથી જ એવો કોઈ વંશ નથી થયો કે જેમાં કોઈ દોષ ન હોય. જેનો વંશ પૂરી રીતે નિષ્પાપ છે. ક્યારેય એવો કોઈ વ્યક્તિ નથી થયો જેને જીવનભર રોગ ન થયો હોય, જે ક્યારેક કોઈ બીમારીથી ગ્રસ્ત ન થયો હોય. પછી એ ગમે એટલો ગુણો માણસ હોય જો તે ખરાબ આદતોમાં પડી જાય તો તે ખોટા કાર્યોની લચ ચોક્કસ લાગી જાય છે. પછી તે માણસને કષ્ટ સહન કરવા પડે છે. આથી અત્યાર સુધી કોઈ પ્રાણી એવું નથી થયું જે દુઃખી ન થયું હોય કે ક્યારેય દુઃખ જ જોયું ન હોય.

હંમેશાથી આપણા જીવનમાં માત્ર સુખ જ સુખ રહે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ પણ એવું થતું નથી. ક્યારેક-ક્યારેક દુઃખ પણ સહન કરવું પડે છે. જે લોકો સદૈવ સુખી રહે છે, ખુશ રહે છે, તેના જીવનમાં નાની-નાની પરેશાનીઓ ચોક્કસ આવતી જ રહે છે. કોઈપણ માણસ પૂરી રીતે સુખી નથી રહેતો. આ પ્રકૃત્તિનો નિયમ પણ છે, આ એક અટલ સત્ય છે. દરેક વ્યક્તિને સુખ અને દુઃખ બંનેનો સામનો કરવો પડે છે.






No comments: