Well come My friends to my Page

Showing posts with label મારે મન સંબંધ.. Show all posts
Showing posts with label મારે મન સંબંધ.. Show all posts

Saturday, December 7, 2013

મારે મન સંબંધ....... જગદીશ રાવળ




સંબંધો બહુ અટપટી ચીજ છે.  સંબંધો વગરનો સમાજ  શક્ય  નથી.  સંબંધો વગર સંસ્કૃતિ શક્ય નથી.
આપણે બહુ સંબંધો રાખતા નથી પણ સંબંધો જીવીએ છીએ.
સંબંધો જ માણસને સાથે જોડી અને જકડી રાખે છે.
દરેક સંબંધો જુદા જુદા હોય છે.
કેટલાક સંબંધો સાથે જીવવાના હોય છે અને કેટલાક સંબંધો માત્ર શબ્દોના હોય છે.
દરેક સંબંધની એક સીમા હોય છે.
દરેક લોકો માટે આપણે અલગ અલગ વર્તુળો દોરી રાખ્યાં હોય છે અને કોને ક્યાં સુધી આવવા દેવો તે આપણે  નક્કી કરી રાખ્યું હોય છે.
આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યક્ત થાય છે.
આપણા વર્તનમાં જ આપણા સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે.
તમે તમારા લોકો સાથે કેવી રીતે રહો છો તેના પરથી જ
તમારા સારા-નરસા કે લાયક-નાલાયક ની છાપ ખડી થતી હોય છે. આ છાપ જ
પછી માણસની ઓળખ બની જાય છે.
સંબંધો માણસની જરૂરીયાત છે.
સંબંધો બંધાતા રહે છે.  સંબંધો તૂટતા પણ રહે છે.  સબંધો દૂર પણ જતાં રહે છે. સંબંધો સરળ નથી.
સંબંધો જાળવવામાં આવડત અને કુનેહની જરૂરત પડે છે.
કેટલા સંબંધો કાયમી ટકે છે ?
સંબંધો કેવા રહે છે તે બે વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે.
સાથેસાથ એ વાત પણ સનાતન સત્ય
છે કે એક વ્યક્તિના સંબંધ બીજી વ્યક્તિ પર સીધી અસર કરે છે. 
સંબંધોની
સાર્થકતા એ જ આજની મોટી જરૂરીયાત છે.
માણસ સંબંધો ગુમાવતો જાય છે.  માણસ એકલો પડતો જાય છે.
ખુશીમાં સાથે હશે અને ઉદાસીમાં પીઠ પસવારે તેવા લોકો ઘટતા જાય છે.
મારું કોણ ?  એવા પ્રશ્નોના જવાબ મેળવવા જ્યારે વિચાર કરવો પડે,
ત્યારે સમજાતું હોય છે કે કેટલું બધું ખૂટે છે.
ખટપટ, કાવાદાવા, અને ટાંટિયાંખેંચ એ આજના સમયનું સૌથી મોટું દુષણ છે.
દોષનો ટોપલો ઢોળવા માણસ માથાં શોધતો ફરે છે અને પછી કોઈનો ભરોસો
કરવા જેવો નથી તેવા નિસાસા નાખીએ છીએ.
સંબંધો બહુ નાજુક છે.
સંબંધો પારા જેવા છે, ખબર ન પડે તેમ સરકી જાય છે અને વેરાઈ પણ જાય છે.
છતાં માણસનું  ગૌરવ એમાં જ છતું થાય છે કે એ સંબંધોના અપ-ડાઉન વખતે કેવું
વર્તન કરે છે.
તમે કેવી રીતે મળો છો તેના કરતાં કેવી રીતે છૂટા પડો છો તેના પરથી જ
તમારા સંબંધોના ગૌરવ અને ગરિમાની સાબિતી મળે છે.
સંબંધોમાં હળવાશ હોવી જોઈએ.  સંબંધો આરપાર જોઈ શકાય તેવા હોવા જોઈએ.
ડબલ સ્ટાન્ડર્ડ કે ડબલ પર્સનાલિટીમાં જીવતો માણસ પોતાને છેતરતો હોય છે.
સંબંધો ને નેવે મૂકીને ક્યારેય સુખ મળી
શકે નહીં.
ઘણા લોકો સંબંધો જાળવવા માટે મેહનત કરતા હોય છે.  કેટલાક લોકો
સંબંધો માટે પેતરાં પણ કરતા હોય છે.
 સાચા સંબંધ મેઇન્ટેઈન કરવા મેહનત
કરવી પડતી નથી.
સાચો સંબંધ ઝરણા જેવો છે.  એ વહેતો રહે છે અને ટાઢક આપતો રહે છે.