Well come My friends to my Page

Saturday, May 10, 2014

ગુજરાતની ઐતિહાસિક ઘટનાઓ


ઈ.સ. ૨૦૧૦માં એક અદ્દભૂત અને ઐતિહાસિક ઘટના આકાર પામવાની છે, અને તેનો રણકાર સમગ્ર દુનિયા સાંભળશે, તે છે ગુજરાત રાજ્યની સ્થાપનાની અર્ધશતાબ્દી!
ગુજરાતની સુવર્ણજ્યંતિના સ્વર્ણિમ વર્ષે અતીતના વિરાટ વૈભવ,ઈતિહાસની કેટલીક નિર્ણાયક ઘટનાઓ
•પ્રાગ્ – ઈતિહાસના અવશેષો પાલણપુર, દાંતા, ઈડર પાસેથી મળે છે.
•૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષો પહેલાં હથિયારધારી મનુષ્યા દેખાયો.
•૫૦૦૦ વર્ષ પહેલાંની માનવ વસતિના અવશેષો લાંઘણજમાં મળ્યા.
•ઈ. સ. પૂર્વે ૩૭૦૦-૨૫૦૦માં સિંધુ ખીણના દીર્ઘ કપાળ ધરાવતા મનુષ્યો ગુજરાત તરફ દોરાયા.
•ગુજરાતનો વેપાર ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષનો ! ઇજિપ્ત્ની કબરોમાંથી ગુજરાતની મલમલ અને ગળી મળ્યાં તેનાં પ્રમાણ છે.

•ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં તો ખંભાતના મણિયારાઓએ પત્થરનાં સાધનો વિકસિત કર્યા. લોથલ પ્રાચીન મહા-નગર અને મહા-બંદરગાહ બન્યું, તે ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીના અંતમાં. પછી તેને વારંવાર સુનામીનો, નદીનાં પૂરનો પ્રલય સહન કરવાનો વારો આવ્યો. એક વાર ઈ.સ. પૂર્વે ૨૦૨૦માં, બીજી વાર ઈ.સ. પૂર્વે ૨૨૦૦માં અને ત્રીજીવાર ઈ. સ. પૂર્વે ૨૦૦૦માં લોથલ પાણી તળે ડૂબી ગયું : દરેક વખતે તેણે વિનાશથી ડર્યા વિના પુન:નિર્માણ કર્યું !
•ઈ.સ. પૂર્વે ૧૯૦૦માં રંગપુરની હડપ્પા-નગરી ડૂબી.
•ઈ. સ. પૂર્વે ૧૦૦૦માં, નગરા, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામો લોહ નિર્માણમાં ખ્યાત થયાં.
•ઈ. સ. પૂર્વેનાં હજાર વર્ષ દરમિયાન ગુજરાતમાં શાર્યાત, ભૃગુ, હૈદય….અને અંતે મથુરાના યાદવો આવ્યા. શ્રીકૃષ્ણાની સુવર્ણ દ્વારિકા વિશાળ પ્રદેશની રાજધાની બની.
•ઈ.સ. પૂર્વે ૯૦૦ માં શ્રીકૃષ્ણયનો દેહોત્સર્ગ થયો.
•ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં વૈયાકરણી પાણિની ‘સૌરાષ્ટિકા નારી‘નાં ઉચ્ચારણોની નોંધ લે છે. કૌટિલ્યે પણ ‘સુરાષ્ટ્ર ‘ના ક્ષત્રિયો વિશે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ‘અર્થશાસ્ત્ર‘માં લખ્યું.
•ઈ.સ. પૂર્વે ૩૨૦માં ગિરનારની તળેટીમાં વિશાળ સુદર્શન તળાવ બંધાયું. શતરંજ-ચતુરંગ રમત શરૂ થઈ.
•ઈ.સ. પૂર્વે ૨૩૭માં અશોક સમ્રાટનો પ્રાકૃત શાસન લેખ મૂકાયો.
•ઈ.સ. પૂર્વે ૨૨૯-૨૨૦ સિંહલ (શ્રીલંકા)ની રાજકન્યા સુદર્શનાએ ભરૂચમાં ‘શકુનિકા વિહાર‘ બંધાવ્યો.
•ઈ. સ. પૂર્વે ૨૦૦માં, અરબસ્તાન અને સિલોનના બંદરગાહો પૂરેપૂરા ગુજરાતના લોકોના હાથમાં હતા.
•ઈ. સ. પૂર્વે ૧૮૫માં ગ્રીક અને ઈ. સ. પૂર્વે ૧૫૦ થી ૧૦૦ સુધીમાં શક, કુશાણ, પાર્થિયન, વગેરે ચડી આવ્યા.
•ઈ. સ. પૂર્વે ૮૩માં પ્રાચીન શક સંવત પ્રચલિત થયો.
•ઈ. સ. પૂર્વે ૫૬: વિક્રમ સંવત શરૂ થયો.
•‘પેરિપ્લેસ‘ના લેખકે જણાવ્યું કે કચ્છ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વહાણવટાનું વ્યાપક ખેડાણ હતું. (ઈ.સ.ની પહેલી સદીની આ નોંધ છે.)
•ઈ.સ. ૧૫૦ ગુજરાતમાં ગદ્યનો જૂનામાં જૂનો નમુનો, રુદ્રદામાનો શિલાલેખ. (જૂનાગઢ-ગિરનાર) મહાભયાનક પૂરમાં સુદર્શન તળાવ તૂટ્યું તે રુદ્રદામને ફરી બંધાવ્યું.
•ઈ. સ. ૧૬૬-૬૭ ગુપ્તુ સંવતનો પ્રારંભ થયો.
•ઈ. સ. ૨૦૦ દ્વારિકાની રાણી ધીરાદેવીએ રુદ્રદામા સામે પડકાર ફેંક્યો, છેવટે સમજુતિ થઈ. મીરાની જેમ દ્વારિકાની ધીરોનેય યાદ કરવી રહી !
•ઈ. સ. ૨૪૪-૪૫ કલચુરિ સંવત શરૂ થયો.
•ઈ. સ. ૩૦૦માં વલભીપુરમાં આર્ય નાગાર્જુને આંતરરાષ્ટ્રીય ધર્મપરિષદ બોલાવી.
•૧૨ ઓક્ટોબર, ૩૧૮ : વલભી સંવત (ગુજરાતના પોતાના શાસક)ની શરૂઆત વિક્રમ સંવત ૩૭૫, કાર્તિક શુકલ પૂર્ણિમા.
•ચંદ્રગુપ્તક વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હરિસ્વામીના ગુરુ સ્કંદસ્વામી, વલભીપુરના નિવાસી હતા. (ઈ. સ. ૩૭૬)
•શિલાદિત્યે (વલ્લભીપુર) શત્રુંજ્ય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો, અને ધનેસ્વર સૂરિએ ‘શત્રુંજ્ય માહાત્મ્ય‘ ગ્રંથ લખ્યો. (ઈ.સ. ૩૯૧)
•ઈ. સ. ૪૦૦માં સૌરાષ્ટ્ર.ના વેપારીએ કૌસાંબીમાં બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો.
•મૈત્રકોએ વલભીપુરને રાજધાની બનાવી. (ઈ. સ. ૪૭૦)
•ગુર્જરો આવ્યા પાંચમી સદીની છેલ્લી પચ્ચીસી અથવા છઠ્ઠી સદીની પહેલી પચ્ચીસીમાં.
ગુર્જરો આવ્યા પછી મૈત્રકોએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું.ઈ. સ. ૬૦૩માં જીવાની મુલાકાતે અહીંના રાજવી પુત્ર ગયા અને ત્યાં વસવાટ કર્યો. ઈ.સ. ૬૨૨થી હીજરી સનનો પ્રારંભ થયો.
•ઈ. સ. ૬૪૦માં ચીની યાત્રિક હ્યુએન ત્સાંગ મહારાષ્ટ્રંથી નર્મદા નદી ઓળંગીને ભરુકચ્છ (ભરુચ) આવ્યો
•ઈ. સ. ૭૧૧માં આરબ સરદાર મોહમ્મદ-બિન-કાસિમે સિંધ પર કબ્જો કર્યો. ઈ. સ. ૭૧૭ એટલે કે યઝદગદી ૮૫, પારસીઓએ ભારતમાં પગ મૂક્યો, (શ્રાવણ સુદ ૯, શુક્રવાર વિ. સં. ૭૭૨).
•ઈ. સ. ૭૨૧માં અરબી સૈન્યને શ્રી વલ્લભ નરેન્દ્ર એટલે કે ચાલુક્ય રાજવી પુલકેસીએ ભીષણ સંગ્રામ કરીને મારી હટાવ્યું, ગુજરાતને બચાવી લીધું.
•વિ. સ. ૮૦૨માં અણહિલપુર સ્થપાયું અને પછીથી લાંબા સમય સુધી રાજધાની રહ્યું. અષાઢ સુદ ૩, શનિવાર, સંવત ૮૦૨ના પાટણની સ્થાપના.
•ઈ. સ. ૭૮૮-૮૨૦ વચ્ચે આદિ શંકર ગુજરાત આવે છે. દ્વારકાધીશ દેવાલયનો જિર્ણોદ્ધાર કરે છે. આદ્યશક્તિની સ્થાપના તેમના હાથે થાય છે.
•ગાંભુ નામે ઈ. સ. ૮૯૯ મુનિ પાર્શ્વમુનિએ ‘યતિ પ્રતિક્રમણ સૂત્ર‘ અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર‘ રચ્યાં.
• ઈ. સ. ૯૬૧ થી ૧૨૯૨ સુધીમાં અણહિલવાડ શાસનના આમંત્રણથી ઉત્તર ભારતમાંથી બ્રાહ્મણો ગુજરાતમાં આવીને સ્થાયી થયા.
•ઈ. સ. ૧૦૧૭-૧૦૩૭ દરમિયાન શ્રી વલ્લભાચાર્ય એ દ્વારિકાની યાત્રા કરી.
•ઈ. સ. ૧૦૨૫ માં મહમૂદ ગઝનવીએ હથિયાર સજ્યાં, ૧૦૨૬માં હાહાકાર મચાવતો તે સોમનાથ દેવાલય સુધી પહોંચી ગયો. ત્રણ દિવસ આક્રમણ ચાલ્યું. કેટલાક રાજપૂતો અને બ્રાહ્મણોએ સામનો કર્યો.
•૧૧૨૦ ઈ. સ.માં મીનળદેવીએ દ્વારિકાની યાત્રા કરીને જિર્ણોદ્ધાર કર્યો.
•૧૧૬૮ ઈ. સ.માં ભાવ બૃહસ્પતિએ સોમનાથ મંદિરના નવા જિર્ણોદ્ધાર માટે મૂળ મંદિરથી દોઢ ફૂટ ઊંચે જઈને મેરુપ્રાસાદ બનાવડાવ્યો.
•ઈ. સ. ૧૨૪૧માં અમદાવાદથી મહમદશાહે દ્વારિકાધીશ મંદિર તોડવા આક્રમણ કર્યું, જે પાંચ બ્રાહ્મણો – વીરજી, કરસન, વાલજી, દેવજી, નથુ ઠાકરે-સામનો કર્યો, તેમની સમાધિ, દ્વારિકામાં મંદિરથી થોડેક દૂર છે. ‘પંચવીર‘ને સ્થાને હવે ‘પંચપીર‘ છે !
આ અજંપા ભર્યા વર્ષો અને તે પછી મુઘલ-બ્રિટિશ કાળ દરમિયાન પણ ગુજરાત અને ગુજરાતીઓ અસ્તિત્વની લડાઈ લડતાં રહ્યાં.
અને આજે ગુજરાત અર્ધશતાબ્દી ઉજવવા તરફ જઇ રહ્યું છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

No comments: