Well come My friends to my Page

Showing posts with label મુદ્રા વિજ્ઞાન અને આપણું આરોગ્ય. Show all posts
Showing posts with label મુદ્રા વિજ્ઞાન અને આપણું આરોગ્ય. Show all posts

Sunday, July 14, 2013

મુદ્રા વિજ્ઞાન Mudras & health

મુદ્રા કરવાની રીત:
બંને હાથની ત્રીજી અને ચોથી એટલે કે છેલ્લી આંગળીના ટેરવાં એકબીજાને અડાડો. અંગૂઠાને હાથની હથેળી તરફ વાળો અને તેની પછીની બંને આંગળીને અંગૂઠાની ઉપર ચિત્રમાં આપ્યા પ્રમાણે વાળી નજીક લાવી એકબીજાને અડાડી સહેજ દબાવો.
ત્યાર પછી ઊંડો શ્વાસ અંદર લો ત્યારે તેને નાભી સુધી ઊંડે અંદર લઈ જાવ એટલે કે પેટના તળિયાથી નીચે સુધી લઈ જવો.
વિશેષ :-
શક્તિ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન ધરવું : શાંતિ, સરળતા અને મૌન મારા શરીરમાં અને મનમાં વ્યાપી રહ્યા છે.
સમયની સીમા :-  
શક્તિ મુદ્રા દિવસમાં ત્રણ વખત બાર બાર મિનિટ માટે કરવી અથવા જરૂર પ્રમાણે કરવી.
લાભ :-
શૂન્ય મુદ્રા કાનના રોગો ને માટે વિશેષ ઉપયોગી છે. કાનનું દર્દ શરુ થતાં જ એને કરવાથી તત્કાલ અથવા ચાર - પાંચ મિનિટમાં જ કાનના દર્દમાં આરામનો અનુભવ થવા લાગે છે. અને થોડી જ મિનિટોમાં કાનના દર્દથી છૂટકારો મળી જાય છે.
શક્તિ મુદ્રા કરવાથી છાતીના નીચેના ભાગમાં હવા પહોંચી ફાયદો કરે છે. વળી પેટમાં ઊંડે સુધી શ્વાસ જતો હોવાથી ત્યાં પણ બધે વિશેષ ફાયદો કરે છે.
આ મુદ્રા ગમે તેવો ગુસ્સો




મુદ્રા બનાવવાની રીત :-
બંને હાથ છાતી પાસે લાવો. એક હથેળીને બીજી હથેળી પર મૂકો. નીચેના હાથનો અંગૂઠો પહેલાં ઉપરની હથેળીમાં વાળી દો, અને ત્યારપછી તેની પર બીજા હાથનો અંગૂઠો દબાવી દો.
વિશેષ :-
સૌને માટે આ મુદ્રા એક મહાન બક્ષિસ છે. આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન કરવું : મારી બધી શક્તિ કુદરતમાં રહેલી દિવ્યતા તરફ કેન્દ્રિત થાય છે અને એ મને જે કંઈ માર્ગદર્શન આપે છે તે પ્રમાણે હું મારા બધા કાર્યો કરીશ.
દરેક મનુષ્યની અંતરની ઈચ્છા પોતાની અંદરનું આંતરજ્ઞાન મેળવવા માટે પોતાની અંદર ઊંડી દ્રષ્ટિ નાખવાનું હોય છે. સંસારીઓ સંસારમાં હોવા છતાં અવારનવાર સંસારથી વિમુક્ત બની વચમાં આવતી અનેક કસોટીઓ પાર કરી આધ્યાત્મિક તત્વ તરફ અને આધ્યાત્મિક શક્તિ તરફ આગળ વધવા ઈચ્છા રાખે છે. જીવનમાં અનેક કસોટીઓ આવે છે. તેનાથી ભાગી જઈ શકાતું નથી પરંતુ આંતરશક્તિ તેને પાર કરવામાં હંમેશા મદદરૂપ થાય છે. જીવનનું અંતિમ ધ્યેય આધ્યાત્મિક બળ મેળવી, આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધવાનું હોય છે. આ બધા માટે આ મુદ્રા ઉપયોગી છે.
સમયની સીમા :-
આ મુદ્રા હંમેશા સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલા સંતોષ થાય તેટલી વખત કરવી. તે ઉપરાંત જયારે જયારે ઈચ્છા થાય, અથવા જરૂર પડે ત્યારે કરવી.
લાભ :-
મનુષ્યનું સંસારી જીવન અનેક કોયડાઓથી ભરપૂર છે. નિર્ણયશક્તિ આ બાબતમાં ખૂબ ઉપયોગી ભાગ ભજવે છે. કેટલીકવાર પોતાનો અનુભવ અથવા વિચારો આમાં ઉપયોગી નીવડે છે, તો કેટલીક વાર પોતાનાથી વધુ હોંશિયાર લોકોના સૂચન મદદરૂપ થાય છે. જયારે જયારે જીવનમાં પ્રશ્નો થાય કે શું કરવું અને શું ન કરવું ત્યારે ત્યારે આ પ્રગતિ મુદ્રા કરવાથી ફાયદો થાય છે.
આધુનિક જમાનામાં વ્યવસાયી વ્યવસ્થાપકો માટે પણ આ મુદ્રા ઉપયોગી છે.
કેટલીક વાર આપણને કેટલીક બાબતોના ખુલાસા મળતા નથી ત્યારે આ મુદ્રા ઉપયોગી નીવડે છે.
કેટલીક વાર એક જ કોયડાના જુદા જુદા ઉકેલ આપણા મનમાં સુઝે છે. ત્યારે કયો ઉકેલ ઉપયોગમાં લેવો, તેનો નિર્ણય લેવામાં આ મુદ્રા ઉપયોગી છે.
કેટલીક વાર કોયડાના જુદા જુદા ઉકેલો સુઝે છતાં સંતોષ ન થાય અને જો આગળ બીજું કંઈક સુઝે તો તે ઉપયોગી થવાનો સંભવ લાગે, તો તેની ખોજ માટે પણ આ મુદ્રા ઉપયોગમાં લઇ શકાય છે.
આ મુદ્રા મનુષ્યના શરીરમાં રહેલા અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે. આ મુદ્રા કરવાથી સાધકના શરીરનું અગ્નિતત્વ વધુ પ્રજ્વલિત બને છે. તે સાધકને ગરમાટો, હલનચલનની શક્તિમાં વધારો અને કાર્ય કરવાની ઈચ્છા પ્રગટ કરે છે. આળસુ માણસો માટે આ મુદ્રા ખૂબ ઉપયોગી છે.
કેટલાક લોકો હતાશ બની નિરાશામય જીવન જીવતા થઇ જાય છે. તેમને પણ આ મુદ્રા જાગ્રત કરી પુરુષાર્થ તરફ આગળ વધારે છે. આ મુદ્રા ગતિહીનને ગતિમાન કરે છે, જીવનમાં આગળ વધારે છે. આગળ વધવાનું બળ આપે છે અને ખોટા વિચારો તથા ખેંચાણ, તાણ અને ઉશ્કેરાટને કાર્યશક્તિમાં ફેરવી નાખે છે.
આં ઉપરાંત આ મુદ્રા સાધકને બળ આપી જ્ઞાન અને પ્રકાશ તરફ આગળ વધારે છે. જીવનની જ્યોતિ પ્રકટ થતા આગળનો માર્ગ સૂઝે છે, ખૂલે છે અને આગળ વધવામાં માર્ગદર્શક બને છે. આ મુદ્રા જીવનમાં એક માર્ગદર્શક પ્રભાવશાળી દિપકનું કાર્ય કરે છે.
 પથી ફાયદો કરે છે.
દરેક જણને આ મુદ્રા શાંત કરે છે અને ઊંઘ લાવવી હોય ઊંઘી જઈ શકાય છે.
આ મુદ્રા વ





મુદ્રા બનાવવાની રીત :-
હાથના અંગૂઠા પછીની પહેલી અને બીજી આંગળીનાં ટેરવાં સાથે જોડી દો. અને બાકીની ત્રીજી અને ચોથી આંગળી તમારી હથેળીમાં વાળી બંધ કરી દો. બંને હાથે આ ક્રિયા કરવી.
વિશેષ :-
આ મુદ્રા કરતી વખતે જે કાર્યો પાર પાડવા માંગતા હોય તેનો દ્દ્રઢપણે વિચાર કરવો.
મનને અંકુશમાં લાવવા, તેનો વિકાસ કરવા અને ધારેલી ઈચ્છા ફળીભૂત કરવા આ મુદ્રા ઉપયોગી છે.
આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો મીંચી ધ્યાન ધરવું. _”હું મારા જીવનમાં બધું સર્વ શ્રેષ્ઠ કરી રહ્યો છું અને જે કંઈ બાકી રહી જાય છે, તે બધી ઊણપો દૂર કરી રહ્યો છું અને મારું કાર્ય સંપૂર્ણ થતું જાય છે.
સમયની સીમા :-
ઈચ્છા મુદ્રા 45 મિનીટ સુધી કરવી. જીવનના અનેક કાર્યોમાં આ મુદ્રા કામમાં આવે છે.
લાભ :-
થિયેટરમાં પિક્ચર જોવા જાવ અને તમારી ગાડી રાખવા માટે જગ્યા ન મળે, તૈયાર કપડાની દુકાનમાં જાવ અને તમને મનગમતી ડીઝાઇન અને રંગનો ડ્રેસ મેળવવો હોય તે ન મળે, પુસ્તક વિક્રેતાને ત્યાં જાવ અને તમને મનગમતા પુસ્તકો ન મળે, લાઈબ્રેરીમાં જાવ અને તમને જોઈતી માહિતી ન મળે, પિકનિકમાં કે બિઝનેસમાં જાવ અને ધાર્યો આનંદ ન મળે વગેરે વગેરે બાબતમાં તે તે વખતે આ મુદ્રા ઉપયોગી છે.
આ મુદ્રા કરવાથી ધારણા પ્રમાણે મળવા સંભવ રહે છે. કેટલાક લોકો પોતાના જીવનને યોજનાબદ્ધ બનાવવા માટે આ મુદ્રાનો ઉપયોગ કરે છે.
જીવનને યોજનાબદ્ધ બનાવ્યા પછી તેને ફળીભૂત કરવા માટે આ મુદ્રા અને સાથે સાથે ધ્યાન ધરી તેને ઉપયોગમાં લે છે.
આ ત્રણ આંગળીઓ ભેગી કરવાથી મનની અપાર શક્તિઓને પ્રબળ બનાવી શકાય છે. આ મુદ્રા કરવાથી આત્મવિશ્વાસ, મનોબળ, દ્રઢતા, ગંભીરપણું, વિચારબળ અને કાર્યસિદ્ધિ માટે સફળતા મળે છે.
મોટા ભાગના લોકોને એવી ઈચ્છા હોય છે કે મારી પાસે ખૂબ ધન હશે તો તેનાથી બધી ઈચ્છાઓ પૂરી કરી શકીશ માટે તેઓ આ મુદ્રા કરતી વખતે ખૂબ ધન મળે તેવી ઈચ્છા અને પ્રતીક્ષા કરે છે.
કેટલાક લોકો ધનને ઓછું મહત્વ આપી પોતાની આવડત અને લાયકાત વધારવા માટે આ મુદ્રાનો ઉપયોગ કરે છે.
ખોટી રીતે મેળવેલું ધન, પ્રતિષ્ઠા, કીર્તિ, માનપાન, હોદ્દો વગેરે બોજારૂપ નીવડે છે. આ બધું જો સાચી રીતે મહેનત કરી મેળવી શકાય તો તેના શુભ ફળ ભોગવવા મળે છે. દરેક જણે આ મુદ્રા કરતી વખતે પોતાની લાયકાત પ્રમાણે જે કંઈ મેળવવું હોય તેની ઈચ્છા કરવી. અવરોધો તો તે દૂર થાય તેવી ઈચ્છા કરવી.
હકારાત્મક સાચા પ્રમાણિક વિચારો દ્વારા પોતાના મનની ઈચ્છા આ ક્રિયા કરતા પહેલા સાત વખત મોટેથી બોલી જવી.
કેટલીક વાર આપણી ઈચ્છાઓ ખૂબ નાની અથવા ક્ષણિક હોય છે. તે પૂરી થતા વાર લાગતી નથી. આથી ઈચ્છા પૂરી થાય પછી હંમેશા કુદરત અને તેના પરિબળોનો આભાર માનવો.
કેટલાક લોકોને જૂની શરદી અથવા સાયનસનો રોગ હોય છે. આ મુદ્રા કરતી વખતે પહેલા ફૂલ સૂંઘતા હોય તેવી રીતે શ્વાસ અંદર લેવો. મગજ તરફ ઉપર લઇ જવો અને પછી ઊંડે સુધી અંદર લઇ જવો. આમ કરવાથી જૂની શરદી અને સાયનસનો રોગ મટે છે




 વધવામાં આ મુદ્રાથી સાચા સાથીની માફક સહયોગ પ્રાપ્ત કરે છે.
 શાંત કરવામાં ઝડ

મુદ્રા બનાવવાની રીત :-
તર્જની(અંગૂઠાની પાસેની) આંગળીને અંગૂઠાની જડમાં લગાવીને અંગૂઠાના અગ્રભાગને મધ્યમાં અને અનામિકા(વચમાં બંને આંગળીઓ) આગલા ભાગ સાથે મેળવી દેવાથી અપાન સહજ મુદ્રા બને છે. આ મુદ્રામાં કનિષ્ટિકા આંગળી અલગ સહજ સીધી રહે છે.
વિશેષ :-
અપાનવાયુ મુદ્રાનો પ્રભાવ હૃદય પર વિશેષ રૂપથી પડે છે. જેથી એને હૃદય મુદ્રા મૃત સંજીવની મુદ્રા કહેવાય છે.
આ તરતજ પ્રભાવ દેખાડવાવાળી મુદ્રા છે. હાર્ટ એટેકને રોકવામાં આ મુદ્રા ઈંજેક્શનના સમાન અસર કરે છે.
અપાનવાયુ મુદ્રામાં બે મુદ્રાઓ_ અપાન મુદ્રા તથા વાયુ મુદ્રા એક સાથે કરવામાં આવે છે. અને બંને મુદ્રાઓનો સંમિલિત અને તક્ષ્ણ પ્રભાવ એક સાથે પડે છે. જેમકે, પેટનો ગેસ અને શારીરિક વાયુ બંનેનું શમન થાય છે.
હાથમાં સૂર્ય પર્વત અતિવિકસિત અને ચંદ્ર પર્વત અવિકસિત હોવો તથા હૃદય રેખા દોષપૂર્ણ હોય તો આ મુદ્રાનો પંદર મિનિટ સવાર સાંજ અભ્યાસ કરવાથી લાભ મળે છે.
આવા દર્દમાં કેવળ વાયુ મુદ્રાના અભ્યાસથી આરામ મળતો નથી. એ અપાનવાયુ મુદ્રાના અભ્યાસથી જ મટે છે.
સમયની સીમા :-
હાર્ટ એટેકનો અનુભવ થતા જ અપાનવાયુ મુદ્રાનો તાત્કાલિક પ્રયોગ કરવો જોઈએ. આવશ્યકતા પડે તો આ મુદ્રાનો આવશ્યકતા અનુસાર દિવસમાં કેટલીયે વાર પ્રયોગ કરી શકાય છે. જે વ્યક્તિઓને હૃદય રોગ અને બ્લડ પ્રેશર હોય અથવા જેમને એટેક આવી ચૂકયો હોય એમણે નિત્ય પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે અપાનવાયુ મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ.
લાભ :-
અપાનવાયુ મુદ્રા હૃદય રોગીઓને માટે સ્વયંમાં એક વરદાન છે.
હાર્ટ એટેકના ભયંકર એટેકને રોકવામાં તાત્કાલિક અપાન વાયુનો પ્રયોગ થોડી જ ક્ષણોમાં પ્રભાવશાળી ઈંજેક્શન અથવા સોરબિટેટ ગોળીની માફક જાદુઈ અસર કરે છે. અને રોગીની મૃત્યુની રક્ષા થાય છે.
આ મુદ્રાના નિયમિત અભ્યાસથી હૃદય રોગોમાં લાભ મળે છે અને હૃદયને બળ મળે છે. મુદ્રા કરવાની સાથે સાથે હૃદય રોગીઓએ આવશ્યક સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને પેટને બરાબર રાખવાનો પ્રયત્ન જેમકે ભોજનમાં પરિવર્તન તથા અનાજ અને આગ પર પકવેલા તથા તળેલી ચીજોની માત્રા ઓછી કરીને લીલા શાકભાજી અને ફળ અધિક લેવા. કારણ કે અધિકતર આક્રમણ ગેસનો ઉપરની તરફ, પાચનની ગરબડથી થાય છે.
હૃદયમાં દબાણ, દર્દની તકલીફનો અનુભવ થતાં જ તાત્કાલિક આ મુદ્રા અવશ્ય કરવી જોઈએ. અન્ય દવા અને ઉપચાર જયારે ઉપલબ્ધ થાય ત્યાર પહેલાં આ મુદ્રા તત્કાલ પોતાનું કાર્ય દેખાડે છે.
શીર દર્દમાં તાત્કાલિક આરામ મેળવવાને માટે અપાન મુદ્રાનો પ્રયોગ લાભદાયક સિદ્ધ થયો છે. અપાન મુદ્રા દરમિયાન થોડા સમય માટે શીર દર્દમાં રાહત મળે છે. જેને બાદમાં ઉદર શુદ્ધિ, આહાર પરિવર્તન, વિશ્રામ, ઔષધિ વગેરેની વ્યવસ્થા કરીને સ્થાયી રૂપથી દૂર કરી શકાય છે. કેટલાંય પ્રકારના શીર દર્દ _ જેવા કે અનિંદ્રા, રાત્રી જાગરણ, માનસિક ચિંતા, અધિક પરિશ્રમ, રક્ત સંચય વગેરેના કારણે ઉત્પન્ન  થવાવાળા શીર દર્દ શરીરને આરામ મળવાથી સ્વયં સારા થઇ જાય છે.
આ મુદ્રાના અભ્યાસથી ન કેવળ પેટના ગેસનું શમન થાય છે. અને શરીર મળરહિત થઈને સ્વચ્છ થાય છે. પરંતુ સાથે શરીરસ્થ વાયુનો પ્રકોપ પણ શાંત થાય છે. બધા પ્રકારના નવા વાત રોગોમાં અપાન વાયુ મુદ્રા લાભકારી છે. અને પુરાણા વાયુ પ્રધાન રોગોમાં વાયુ મુદ્રા લાભ કરે છે.
હૃદયની ધડકન અને કમજોરીમાં આ મુદ્રાથી લાભ મળે છે. દાદર ચઢવાના પાંચ દસ મિનિટ આ મુદ્રાનો અભ્યાસ કરી લેવાથી દાદર ચઢવાનું સહેલું થઇ જાય છે. અને હાંફવાનું પણ ઓછું થઇ જાય છે.
 ળા વ્યક્તિએ આ મુદ્રાનો અભ્યાસ નિત્ય ઓછામાં ઓછી 5 મિનિટ સુધી કરવો જોઈએ.
અનિંદ્રામાં એને જ્ઞાન મુદ્રાની સાથે અને ડાયાબિટીસમાં એને અપાન મુદ્રાની સાથે સહયોગી મુદ્રાના રૂપમાં  કરવાથી સારું રહે છે.
યોગ સાધના અથવા મહિનાઓ લાંબી તપશ્ચર્યા દરમિયાન અન્ન - જળ ન લેવાથી અત્યંત કૃશતા





મુદ્રા બનાવવાની રીત :-
અનામિકા (નાની આંગળી પાસેની) આંગળી તથા અંગૂઠાના આગળના ભાગને પરસ્પર મેળવવાથી પૃથ્વી મુદ્રા બને છે. બાકીની આંગળીઓ સહજ સીધી રાખવી.
વિશેષ :- 
પૃથ્વી મુદ્રા કરવાથી પૃથ્વી તત્વ વધીને સરખું થાય છે. જેનાથી બધાજ પ્રકારની શારીરિક કમજોરીઓ દૂર થાય છે.
અનામિકા એક મહત્વપૂર્ણ આંગળી છે. અંગૂઠાની માફક અનામિકામાં પણ તેજનો વિશેષ વિદ્યુત પ્રવાહ હોય છે. યોગશાસ્ત્ર અનુસાર લલાટ ( કપાળ ) પર દ્વિદલ કમળનું આજ્ઞાચક્ર આવેલું છે. અને એના પર અનામિકા અને અંગૂઠા દ્વારા શુભ ભાવનાની સાથે વિધિવત તિલક કરીને કોઈપણ સ્ત્રી કે પુરુષ પોતાની અદૃશ્ય શક્તિને બીજામાં પહોંચાડીને એની શક્તિમાં વધારો કરી શકે છે.
સમયની સીમા :- 
પૃથ્વી મુદ્રાને કોઈપણ આસન કે સ્થિતિમાં બેસીને અધિકાઅધિક સમય સુધી કરી શકાય છે.
લાભ :- 
પૃથ્વી મુદ્રા દુર્બળ વ્યક્તિનું વજન વધારીને સ્વાભાવિક અને સંતુલિત કરે છે, માટે જાડા બનવાની ઇચ્છાવાળા વ્યક્તિઓએ અવશ્ય કરવી જોઈએ.
શરીરમાં ક્રાંતિ અને તેજની કમી હોવાથી આ મુદ્રાના પ્રયોગથી તેજસ્વીતા વધે છે.
આ મુદ્રા જીવન શક્તિ વધારે છે. દીર્ઘકાળ સુધી એના નિયમિત અભ્યાસથી શરીરમાં પ્રસન્નતા, નવી સ્ફૂર્તિ તથા ઓજનો સંચાર થાય છે. તથા શરીર બધા જ પ્રકારે સ્વસ્થ રહે છે.
આ મુદ્રાના પ્રભાવથી આંતરિક સૂક્ષ્મ તત્વોમાં મહત્વપૂર્ણ પરિવર્તન થવા અને વિચારોમાં સંકુચિતતા દૂર  થઈને વિચારોમાં ઉદારતા આવવા લાગે છે.
આધ્યાત્મિક સાધક આગળ








મુદ્રા બનાવવાની રીત :-
અનામિકા (નાની આંગળી પાસેની) આંગળી તથા અંગૂઠાના આગળના ભાગને પરસ્પર મેળવવાથી પૃથ્વી મુદ્રા બને છે. બાકીની આંગળીઓ સહજ સીધી રાખવી.
વિશેષ :- 
પૃથ્વી મુદ્રા કરવાથી પૃથ્વી તત્વ વધીને સરખું થાય છે. જેનાથી બધાજ પ્રકારની શારીરિક કમજોરીઓ દૂર થાય છે.
અનામિકા એક મહત્વપૂર્ણ આંગળી છે. અંગૂઠાની માફક અનામિકામાં પણ તેજનો વિશેષ વિદ્યુત પ્રવાહ હોય છે. યોગશાસ્ત્ર અનુસાર લલાટ ( કપાળ ) પર દ્વિદલ કમળનું આજ્ઞાચક્ર આવેલું છે. અને એના પર અનામિકા અને અંગૂઠા દ્વારા શુભ ભાવનાની સાથે વિધિવત તિલક કરીને કોઈપણ સ્ત્રી કે પુરુષ પોતાની અદૃશ્ય શક્તિને બીજામાં પહોંચાડીને એની શક્તિમાં વધારો કરી શકે છે.
સમયની સીમા :- 
પૃથ્વી મુદ્રાને કોઈપણ આસન કે સ્થિતિમાં બેસીને અધિકાઅધિક સમય સુધી કરી શકાય છે.
લાભ :- 
પૃથ્વી મુદ્રા દુર્બળ વ્યક્તિનું વજન વધારીને સ્વાભાવિક અને સંતુલિત કરે છે, માટે જાડા બનવાની ઇચ્છાવાળા વ્યક્તિઓએ અવશ્ય કરવી જોઈએ.
શરીરમાં ક્રાંતિ અને તેજની કમી હોવાથી આ મુદ્રાના પ્રયોગથી તેજસ્વીતા વધે છે.
આ મુદ્રા જીવન શક્તિ વધારે છે. દીર્ઘકાળ સુધી એના નિયમિત અભ્યાસથી શરીરમાં પ્રસન્નતા, નવી સ્ફૂર્તિ તથા ઓજનો સંચાર થાય છે. તથા શરીર બધા જ પ્રકારે સ્વસ્થ રહે છે.
આ મુદ્રાના પ્રભાવથી આંતરિક સૂક્ષ્મ તત્વોમાં મહત્વપૂર્ણ પરિવર્તન થવા અને વિચારોમાં સંકુચિતતા દૂર  થઈને વિચારોમાં ઉદારતા આવવા લાગે છે.
આધ્યાત્મિક સાધક આગળ



મુદ્રા કરવાની રીત :-
કનિષ્ઠિકા અને અનામિકા ( સૌથી નાની અને એની પાસેની ) આંગળીઓના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગ સાથે મેળવવાથી પ્રાણ મુદ્રા બને છે. શેષ બે આંગળીઓ સીધી રહે છે.
વિશેષ :-
પ્રાણ મુદ્રા એક અત્યાધિક મહત્વપૂર્ણ મુદ્રા છે. માનવ શરીર ઘણું જ અદભૂત અને રહસ્યમય છે. જેના સંબંધમાં ઋષિ મુનિઓએ અનંતકાળ સુધી તપ, સ્વાધ્યાય, આત્મ સાધના કરીને કેટલાય મહત્વપૂર્ણ અનુસંધાન કર્યા છે.
પ્રાણ શક્તિનો સંચાર કરવાવાળી આ પ્રાણ મુદ્રાના અભ્યાસથી કમજોર વ્યક્તિ પણ શારીરિક અને માનસિક દષ્ટિથી એટલો શક્તિશાળી બની જાય છે, કે કોઈ રોગ અથવા સંક્રમણરૂપી શત્રુની શરીરમાં  ઘુસણખોરી કરવાનું સહેલું રહેતું નથી. પ્રાણ શક્તિની કમીથી શરીર વિભિન્ન રોગોનો શિકાર બને છે.
જ્યોતિષના હિસાબથી સૂર્યની આંગળી અનામિકા સમસ્ત વિટામીન અને પ્રાણ શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. બુધની આંગળી કનિષ્ઠિકા યુવા શક્તિ અને કુમાર અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અથવા સૂર્ય, બુધની આંગળીઓને અગ્નિના પ્રતિક અંગુઠાની સાથે અ મુદ્રાનો પ્રયોગ મહત્વપૂર્ણ છે. આ મુદ્રાના અભ્યાસથી જીવન અને બુધ રેખાનો દોષ દૂર થાય છે. અને શુક્રના અવિકસિત પર્વતનો વિકાસ થવા લાગે છે.
આ મુદ્રામાં પૃથ્વી તત્વની પ્રતિક અનામિકા અને જળ તત્વની પ્રતિક કનિષ્ઠિકા અને અંગૂઠા અથવા અગ્નિ તત્વ અંગુઠાનું મિલન થાય છે. જેના પરિણામ સ્વરૂપ ન કેવળ શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે. પરંતુ રક્ત સંચાર ઉત્પન્ન થવાથી રક્ત નળીકાઓની રુકાવટ દૂર થાય છે. અને તન મનમાં નવ સ્ફૂર્જી આશા અને ઉત્સાહ ઉત્પન્ન થાય છે.
સમયની સીમા :-
આ મુદ્રાનો અભ્યાસ બધા જ સ્વસ્થ અને અસ્વસ્થ વ્યક્તિ ઈચ્છા અનુસાર ગમે ત્યારે કરી શકે છે. એ સમયે કોઈ બેઠા હોય કે સુતા હોય અથવા ફરી રહ્યા હોય, પ્રાણ શક્તિની વૃદ્ધિને માટે પ્રાણ મુદ્રાનો અધિકાધિક પ્રયોગ કરી શકાય છે.
લાભ :-
પ્રાણ મુદ્રાનો રોજ અધિકાધિક પ્રયોગ કરવાથી શરીરમાં પ્રાણ શક્તિ અને રોગ નિરોધક શક્તિ વધે છે.
વિટામીન - સી ની ખામી દૂર થાય છે.
સ્નાયુવિક રૂપથી કમજોર વ્યક્તિ ફરી સબળ થાય છે.
થાક લાગે તો અ મુદ્રા કરવાથી થાક દૂર થાય છે.
પ્રાણ મુદ્રા દ્વારા આંખો પર સારો પ્રભાવ પડે છે. આંખોના બધા જ દોષ અને બધા જ પ્રકારની બીમારીઓ દૂર થઈને આંખોની જ્યોતિ વધે છે. આંખોને સ્વસ્થ રાખવાની ઇચ્છાવા

વાયુ મુદ્રા
મુદ્રા કરવાની રીત :-
તર્જની ( અંગૂઠાની બાજુવાળી ) આંગળીને વાળીને અંગૂઠાની જડમાં લગાવી, એને અંગૂઠાથી સહેજ દબાણ આપવાથી વાયુ મુદ્રા બને છે.
વિશેષ :-
આ મુદ્રા કરવાથી વાયુ તત્વ ઘટે છે. વાયુ મુદ્રાના પ્રભાવથી રોગીના શરીરમાં વાયુ તત્વ શીઘ્રતાથી ઘટવા લાગે છે. અને વાયુના કૃપિત થવાથી ઉત્પન્ન થવાવાળા બધા જ રોગ શાંત થઇ જાય છે.
વાયુ મુદ્રાની સહયોગીની પ્રાણ મુદ્રા છે. જો વાયુ મુદ્રાના પ્રયોગથી કોઈવાર રોગને શાંત પડવામાં વાર લાગે તો વાયુ મુદ્રાની સાથે પ્રાણ મુદ્રાનો અભ્યાસ થોડા સમય માટે કરવો હિતકર છે. આમ પણ બધા રોગોમાં પ્રાણ મુદ્રાનો પ્રયોગ પ્રાણ શક્તિને વધારવા માટે લાભદાયક હોય છે.
હસ્ત રેખા વિજ્ઞાનની દષ્ટિએ વાયુ મુદ્રાથી શની પર્વત અને રેખાના દોષ દૂર થાય છે.
સમયની સીમા :-
તીવ્ર વાયુ રોગ થતાં જ 45 મિનિટ સુધી આ મુદ્રાને કરવાથી 12 થી 24 કલાકમાં લાભ થાય છે. વાયુની જૂની બીમાંરીયોમાં આ મુદ્રા રોજ 15 મિનિટથી 45 મિનિટનો અભ્યાસ કરવાથી  ધીરે ધીરે ફાયદો થાય છે. વાયુ દર્દ, કમ્પન વાયુ, ગાંઠો વગેરે જુના રોગીઓને ઘણા લાંબા સમય સુધી આ મુદ્રા કરવાથી લાભ થાય છે. પરંતુ રોગ શાંત થઇ જાય પછી વાયુ મુદ્રાનો અભ્યાસ બંધ કરી દેવો જોઈએ.
લાભ :-
આ મુદ્રાથી બધા જ પ્રકારના વાતરોગ જેવા કે ગઠિયા, કંપન વાયુ, અથવા હાથ - શિર વગેરેનું સ્વયં કાપવું કે હલવું, સાયટિકા, વાયુશૂળ, લકવા વગેરે દવા વિના સારા થઇ શકે છે. એવા રોગીઓને આ મુદ્રાનો અધિકાધિક અભ્યાસ કરવાની જરૂરત રહે છે.
વાયુ મુદ્રાથી કંપન વાયુનો કષ્ટ સાધ્યરોગ થોડા સમયમાં સારો થઇ જાય છે.
મોં વાકું થઇ જવાથી અને ગર્દન જકડાઈ જવાથી તથા સર્વાઈકલ સપોડીલાઈસીસમાં વાયુ મુદ્રાનો પ્રયોગ લાભદાયક છે. વાયુ મુદ્રા કરવાથી હાથના મણીબંધની વચમાં વાતનાડીમાં બંધ લાગી જાય છે. વાતજન્ય ગરદનના દર્દમાં વાયુ મુદ્રા લગાવ્યા બાદ હાથના કાંડાને જમણી બાજુ ઘુમાંવવાથી વાતનાડીમાં ખટ-ખટની ધ્વની  થાય છે. જે કાંડાને બીજા હાથથી પકડીને વાત નાડી પર અંગુઠાથી હલકું દબાણ આપીને ગોળાકાર - જમણી અને ડાબી બાજુ બે - ચાર વાર ઘુમાંવવાથી બંધ થઇ જાય છે. ખટ - ખટની ધ્વનિ સમાપ્ત થતા જ ગરદનના દર્દમાં આરામ થઇ જાય છે.
જો જકડવાનું દર્દ જમણી તરફની ગરદનમાં હોય તો જમણા કાંડાને ઘુમાવવું જોઈએ. અને જો ગરદનની ડાબી તરફ દર્દ હોય તો ડાબા કાંડાને ઘુમાવવું જોઈએ. અને પૂરી ગરદન હોય તો  બંને કાંડાને એકના પછી બીજું ડાબી - જમણી બાજુ ઘુમાવવું જોઈએ. મોં ના અર્ધા ભાગમાં મોં વાંકું થઇ જાય તો પણ ગરદન જકડાઈ જવામાં જે પ્રકારે હાથનું કાંડું ઘુમાંવવામાં આવે છે. એ જ પ્રકારે ઘુમાંવવાથી લાભ થાય  છે.
ઘુટણોના દર્દમાં વાયુ મુદ્રા વિશેષ ઉપયોગી સિદ્ધ થાય છે.
 ધકને ભૂખ - તરસની તીવ્રતા સતાવતી નથી.
શરીરની ગરબડ દૂર કરવા તથા એનાથી શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક વિકાસમાં સહાયતા થઇ શકે છે અને જેની સહાયતાથી જનસાધારણ પોતાના રોગોથી રક્ષા તથા સારવાર સ્વયં કરી શકે છે.
ધારે પડતી કરવાથી આળસુ બની જ

મુદ્રા બનાવવાની રીત :-
મધ્યમાં ( સૌથી મોટી આંગળી ) ને અંગુઠાના અગ્રભાગ સાથે મેળવવાથી આકાશ મુદ્રા બની જાય છે. બાકીની આંગળીઓ સહજ સીધી રાખવી જોઈએ.
વિશેષ :-
આ મુદ્રા કરવાથી શરીરમાં આકાશ તત્વ વધે છે. જેનાથી આકાશ તત્વના ઓછા થઇ જવાથી ઉત્પન્ન થવાવાળો રોગ થોડા જ દિવસોમાં શાંત થઇ જશે.
મધ્યમાં આંગળીને હૃદયની સાથે ખાસ સંબંધ છે. એટલે આ મુદ્રા હૃદયને માટે લાભકારક છે. આપે જોયું હશે કે અધિકતર જપ ક્રિયા કે માળા ફેરવવામાં મધ્યમાં આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. માળા ફેરવવાનું વિધાન ( અર્થ ) ભૌતિક સુખોની પ્રાપ્તિ જેવી કે દ્રવ્ય પ્રાપ્તિ, પરિવારની શાંતિ, સંતાન પ્રાપ્તિ, વગેરેને માટે માળા ફેરવતા સમયે માળા અંગૂઠા પર રાખીને મધ્યમાં આંગળીથી માળા ફેરવવાનું વિધાન છે.
જયારે મોક્ષના અભિલાષી એ અનામિકા આંગળીથી અને વેર કલેશ વગેરેના નાશને માટે તર્જની આંગળીથી માળા ફેરવવાનું યોગ્ય છે. એના સિવાય માળા ફેરવતા સમયે માળાને જમણા હાથના અંગૂઠા પર રાખીને હૃદયની પાસે સ્પર્શ કરીને રાખવી જોઈએ. માળાના મણકાને ફેરવતા સમયે માળાને નખ ન વાગે અને મેરુનું ઉલ્લંઘન ન થાય. અન્યથા લાભ ઓછો થાય છે.
એના સિવાય માળાના સંબંધમાં એ પણ નિયમ છે કે માળા સાફ, સમાન, અને પૂરા 108 મણકાવાળી તથા સુંદર સુમેરુવાળી હોવી જોઈએ. સુભ કાર્યોને માટે સફેદ માળા અને કષ્ટ નિવારણ માટે લાલ માલનો પ્રયોગ લગભગ કરવામાં આવે છે.
માળાની માફક પ્રણામ કરવાનું વિધાન પણ અર્થપૂર્ણ છે. પ્રણામ કરવાને માટે પ્રણામ કરવાવાળા વ્યક્તિને આપણે હાથોને ક્રોસ બનાવીને પ્રણામ કરવા જોઈએ. એટલાકે ડાબા હાથ થી ડાબો પગ અને જમના હાથ થી જમણો પગ એનાથી પૂજનીય વ્યક્તિના શરીરમાંથી નીકળવા વાળો વિદ્યુત પ્રવાહ (ઋણાત્મક અને ઘનાત્મક નેગેટીવ અને પોઝીટીવ પ્રવાહ) અથવા તેજસનો પ્રભાવ ચરણ સ્પર્શ કરવાવાળાને માટે કલ્યાણકારી સિદ્ધ થશે.
હસ્તરેખા વિજ્ઞાનની દ્રષ્ટિથી શનિ ગ્રહ સાથે સંબંધ રાખવાવાળા રોગોમાં આ મુદ્રા લાભદાયક સિદ્ધ થશે, જયારે જન્મ કુંડળીમાં શનિ નીચેનો હોય છે તો લાભ થઇ શકે.
સમયની સીમા :-
આ મુદ્રાનો પ્રયોગ આવશ્યકતા અનુસાર સીમિત સમય સુધી કરી શકાય છે.
લાભ :-
આકાશમુદ્રાનો નિરંતર અભ્યાસ કરવાથી હાડકાઓની બધાજ પ્રકારની કમજોરી દુર થાય છે.
જો બગાસું ખાતા અચાનક જડબું ફસાઈ જાય અને મુખ બંધન થાય તો એજ ક્ષણે અંગુઠાને મધ્યમાં આંગળીની સાથે ઘસવા કે ચપટી વગાડવાથી ફસાયેલું જડબું તાત્કાલિક ખુલી જશે. એ જ કારણ છે કે ઘણા લોકો બગાસું ખાતા ખાતા (કારણ ના જનતા હોવા છતાં પણ) આજ મધ્યમાં અને અંગુઠાને મો પાસે લઇ જઈને ચપટી વગાડે છે.
હૃદય રોગોમાં આ મુદ્રા લાભકારી છે.
કાનનો રોગ જો શૂન્યમુદ્રા કરવાથી દુર ન થાય તો એ આકાશમુદ્રા કરવા દ્વારા સારો થઇ શકે છે.
  અને કમજોરીનો અનુભવ થઇ રહ્યો હોય તો એવી પરિસ્થિતિમાં પ્રાણ મુદ્રામાં સાધના કરવાથી સા