Well come My friends to my Page

Showing posts with label પતંજલિ યોગ સૂત્ર. Show all posts
Showing posts with label પતંજલિ યોગ સૂત્ર. Show all posts

Tuesday, June 11, 2013

Yog Sutra : યોગસૂત્ર : योगसूत्र by Maharshi Pantanjali સંકલન જગદીશ રાવળ

Yog Sutra : યોગસૂત્ર : योगसूत्र

The Yoga Sutras of Patanjali are one of the six darshanas of Hindu or Vedic schools and, alongside Bhagavad-Gita and Gherand Samhita, are a milestone in the history of Yoga. Yoga-Sutra are a set of aphorisms (sutras), which are short and easy to memorize. They are part of an ancient oral tradition, which means you don't learn by reading and reasoning alone but you listen and chant. Though brief, the Yoga Sutras are an enormously influential work that is just as relevant for yoga philosophy and practice today as it was when it was written.
The title of the Patanjali's work consists of two Sanskrit words: Yoga and Sutra. 'Yoga', as used by Patanjali, refers to a state of mind wherein thoughts and feelings are held in check, and 'Sutra' means thread. It refers to the thread of a mala, upon which the yoga aphorisms are strung like beads. For that reason the title is sometimes rendered in English as the 'Yoga Aphorisms'.
Yoga as a system of thought and practice has a primary reference to the philosophical system that flows from the teachings of the ancient Indian Yoga philosopher, Patanjali. Other great works elaborating on Yoga are the Siva Samhita, the Hath yoga Pradipika and the Gherand Samhita. Shiv Samhita is the fundamental work on yoga, said to originate from Lord Shiva, the founder of yoga. The Gherand Samhita is much more practical. It comprises of seven lessons covering aspects such as asanas (32 of them to be specific), how to perform it and its effects; mudras (25 of them), the control of senses, pranayam (breath control), meditation, and super consciousness. The Hatha Yoga Pradeepika by Swami Swatmarama is a much later text (16th Century) which deals with the pre-requisites of yoga, the asanas, pranayam, mudras, bandhas and Raj Yoga.
The Patanjali's Yog Sutra provide terse treatment to the complex subject of Yoga and seamlessly covers aspects such as types of yoga, practice of yoga, powers of yoga and the ultimate aim or result of yoga. Yog Sutra deals with the subject matter at a psychological, psychosomatic and metaphysical level. Although a spiritual document, Yog Sutra doesn't deal with specific Gods, chakras, kundalini or other trappings of the varied yogic traditions. It doesn't even elaborate us on how to perform any postures. In all, Yog Sutra comprises of 195 aphorisms divided into 4 chapters or Pada, as follows:
  1. Samadhi Pada (51 sutras)
  2. Sadhan Pada (55 sutras)
  3. Vibhuti Pada (55 sutras)
  4. Kaivalya Pada (34 sutras)
Patanjali's yoga is also known as 'Astang yoga' (Astang means eight limbed). In Sadhan Pada, Patanjali narrates eight limbs of yoga practice. Interestingly, only one of them deals with physical postures, and that too, mainly with seating positions. The eight limbs are as follows:
  1. Yama (abstentions): Ahimsa (non-injury), Satya (truth), Asteya (non-covetousness), Brahmacharya (continence) and Aparagriha (abstinence from avarice).
  2. Niyama (observances): Saucha (purity), Santosha (contentment), Tapas (austerities), Svadhyaya (study) and Ishvarapranidhana (surrender to God).
  3. Asana (posture): Asana literally means 'seat' but in broader sense they refer to various body postures. Patanjali dwells only on seating postures in Yog Sutra. 
  4. Pranayama: Control of prāna or vital breath
  5. Pratyahara (Abstraction): Control of the senses by the withdrawal of prana from them so that they do not follow nature of mind.
  6. Dharana (Concentration): Fixing the attention on a single object.
  7. Dhyana (Meditation): A state of quiescence, wherein mind dissolves and become free of all thoughts.
  8. Samadhi: Super-conscious state or state of liberation.
In spite of the Yoga Sutra being by far the most definitive text on the philosophy of classical yoga, very little is known about its author, Patanjali himself. In fact, the identity of this sage scholar is still being debated in academic circles. Maharshi Patanjali is believed to have compiled his Yoga Sutra around the 3rd or 4th century BC but archeological evidences and the study of ancient scriptures suggest that yoga was practiced in ancient India as early as 3000 BC.
Shri Yogeshwarji, a celebrated yogi and a great Gujarati saint and literate of modern times, translated and presented Patanjali's work in Gujarati through his books entitled 'Yog Darshan' and 'Patanjal Yog Darshan'. While the first one covers comments on Yoga Sutra in-depth, the later one presents simplified meaning of Yoga Aphorisms. As with his pioneering work on other popular Indian scriptures like Ramayana, Mahabharata, Bhagavad-Gita and Upanishads, his dwelling on Yoga Sutra offers comprehensive insight on the complex and often misunderstood subject of Yoga. Through the medium of this website, it's our humble endeavor to present them to Gujarati populace. Your comments are most welcome on this offering.

Samadhi Pada : Verse 01 - 05

०१. अथ योगानुशासनम् ।
1.1 atha yoganusasanam

હવે યોગમાર્ગના વિચારની શરૂઆત કરીએ.

*

०२. योगश्चित्तवृत्तिनिरोधः ।
1.2 yogah chitta-vrutti nirodhah

ચિત્તની વૃત્તિઓના નિરોધને, અથવા ચિત્તની વૃત્તિઓ સંપૂર્ણપણે રોકાઇ જાય તેને, યોગ કહે છે.

*

०३. तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् ।
1.3 tada drashtuh svarupe avasthanam

નિરોધની એ દશામાં જે દૃષ્ટા છે તે આત્માની પોતાના સ્વરૂપ એટલે મૂળરૂપમાં સ્થિતિ થઇ જાય છે.

*

०४. वृत्तिसारूप्यम् इतरत्र ।
1.4 Vrutti sarupyam itaratra

યોગસાધના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ ના થાય ત્યાં સુધી, બીજા બધા જ વખત દરમિયાન, દૃષ્ટા આત્મા પોતાના ચિત્તની વૃત્તિઓના જેવું રૂપ ધારણ કરે છે. વૃતિઓની સાથે તે એકરૂપ બની જાય છે. તેને પોતાના અસલ સ્વરૂપનું જ્ઞાન કે ભાન રહેતું નથી, નિરોધમાં જ તેનું જ્ઞાન થઇ શકે છે. આ પરથી એમ પણ સમજી લેવાનું છે કે ચિત્તવૃત્તિનો નિરોધ જડ નથી પણ ચૈતન્યમય અથવા જ્ઞાનમય છે. આત્માને પોતાનું મૂળ સ્વરૂપ મેળવી આપનારો કે પોતાના સત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરનારો છે.

*

०५. वृत्तयः पञ्चतय्यः क्लिष्टा अक्लिष्टाः ।
1.5 vruttayah panchatayah klishta aklishta

ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારની હોય છે, તથા દરેક વૃત્તિના ક્લિષ્ટ ને અક્લિષ્ટ બે ભેદ હોય છે. અવિદ્યા જેવા ક્લેશોને વધારનારી ને યોગમાર્ગમાં વિઘ્નરૂપ થનારી વૃત્તિ ક્લિષ્ટ કહેવાય છે ને ક્લેશને દૂર કરનારી તથા યોગમાર્ગમાં મદદરૂપ થનારી વૃત્તિ અક્લિષ્ટ કહેવાય છે. આ વાતને સમજી લઇ, સારી વૃત્તિની મદદથી પહેલા ખરાબ વૃત્તિને વશ કરી, સારી વૃત્તિનો પણ નિરોધ કરવો જોઇએ. એટલે યોગ થયો કહેવાય.

Samadhi Pada : Verse 06 - 10

०६. प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ।
1.6 pramana viparyaya vikalpa nidra smritayah

વૃત્તિઓ પાંચ છેઃ ૧) પ્રમાણ  ૨) વિપર્યય  ૩) વિકલ્પ  ૪) નિદ્રા અને ૫) સ્મૃતિ.

*

०७. प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ।
1.7 pratyaksha anumana agamah pramanani

પ્રમાણ અથવા પ્રમાણવૃત્તિના ત્રણ ભેદ છેઃ પ્રત્યક્ષ, અનુમાન અને આગમ.

૧) પ્રત્યક્ષ પ્રમાણ : આ જગતમાં મન, બુદ્ધિ ને ઇન્દ્રિયોથી જાણી શકાય તેવા પદાર્થો છે, તેમનું ઇન્દ્રિયો ને અંતઃકરણ સાથે સંબંધ થવાથી જે ભ્રાંતિ કે શંકા વિનાનું જ્ઞાન થાય છે, તેને પ્રત્યક્ષ અનુભવવાળી પ્રમાણવૃત્તિ કહેવામાં આવે છે.

૨) અનુમાન પ્રમાણ : કોઇ પ્રત્યક્ષ વસ્તુને જોઇને અથવા કોઇ પ્રત્યક્ષ વસ્તુની મદદથી બીજા અપ્રત્યક્ષ કે પરોક્ષ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન થાય છે, તેને અનુમાનવાળી પ્રમાણવૃત્તિ કહેવામાં આવે છે. જેવી રીતે ધુમાડો જોઇને અગ્નિનું જ્ઞાન થવું કે ફોરમ પરથી ક્યાંક ફૂલ હશે તેમ લાગવું.

૩) આગમ પ્રમાણ : શાસ્ત્ર, સંત કે મહાપુરુષના વચનને આગમ કહેવામાં આવે છે. મનુષ્યના અંતઃકરણને ઇન્દ્રિયોથી પરના પદાર્થો જે અનુમાનથી પણ નક્કી થઇ શક્તા નથી, તેમનું જ્ઞાન શાસ્ત્ર કે મહાપુરુષોના વચનથી થઇ શકે છે. તેને આગમ પ્રમાણ કહેવામાં આવે છે.

આ ત્રણે પ્રમાણના ક્લિષ્ટ ને અક્લિષ્ટ કે સારા-નરસા બે ભેદ છે.

૧) જે પ્રત્યક્ષ દર્શનથી સંસારના પદાર્થોની અનિત્યતાનો નિશ્ચય થાય અથવા તે દુઃખદાયક છે એવું જ્ઞાન થાય, ને પરિણામે સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય, જે ચિત્તની વૃત્તિઓને રોકવામાં મદદ કરે, ને યોગની સાધનામાં શ્રદ્ધા તેમજ ઉત્સાહનો સંચાર કરે, તેનાથી થનારી પ્રમાણવૃત્તિ અક્લિષ્ટ અથવા સારી છે. તેથી ઊલટું, જે પ્રત્યક્ષ દર્શનથી સંસારના પદાર્થ નિત્ય ને સુખમય છે એમ લાગે, સંસારમાં આસક્તિ જાગે, ને પરિણામે જે પતનકારક થાય, તેનાથી થનારી પ્રમાણવૃત્તિને ક્લિષ્ટ કે ક્લેશવાળી કહેવામાં આવે છે.

૨) જે અનુમાનોથી સંસારની અનિત્યતા, દુઃખરૂપતા ને સંસારના દોષોનું જ્ઞાન થઇ સંસારમાં વૈરાગ્યબુદ્ધિ થાય, સાધનામાં શ્રદ્ધા વધે ને આત્મજ્ઞાનને મેળવવમાં મદદ મળે, તે અનુમાનવૃત્તિ અક્લિષ્ટ અથવા સારી કહેવાય ને તેથી ઊલટી વૃત્તિ ક્લિષ્ટ છે એમ કહી શકાય.

૩) જે આગમ પ્રમાણથી ભોગોમાં વૈરાગ્ય થાય ને સાધના માટે શ્રદ્ધા ને ઉત્સાહ વધે, તથા આત્મકલ્યાણની ઇચ્છા જાગે, તે અક્લિષ્ટ આગમવૃત્તિ કહેવાય, ને તેથી વિરુદ્ધની વૃત્તિ ક્લિષ્ટ કહેવાય.

*

०८. विपर्ययो मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम् ।
1.8 viparyayah mithya jnanam atad rupa pratistham

0૮. કોઇ વસ્તુના મૂળ સ્વરૂપને ના સમજી તેને બીજી જ વસ્તુ સમજી લેવી, તેવું મિથ્યા જ્ઞાન વિપર્યય કહેવાય છે. અથવા તે વસ્તુના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ના હોય તેવું મિથ્યા જ્ઞાન વિપર્યય કહેવાય છે.

તેવી વૃત્તિ પણ જો ભોગો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરનારી ને સાધનામાં પ્રેમ જગાડનારી હોય તો અક્લિષ્ટ, અને એમ ન હોય તો ક્લિષ્ટ કહેવાય છે.

*

०९. शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः ।
1.9 shabda jnana anupati vastu shunyah vikalpah

વાસ્તવમાં જેનું અસ્તિત્વ જ ના હોય તેવા પદાર્થની કેવલ શબ્દના આધાર પર કલ્પના કરવાવાળી જે ચિત્તની વૃત્તિ, તે વિકલ્પવૃત્તિ કહેવાય છે. અથવા જે જ્ઞાન શબ્દજનિત જ્ઞાનની સાથેસાથે થાય, પરન્તુ વસ્તુતઃ જેનો વિષય ના હોય, તે વિકલ્પ કહેવાય છે. તે પણ જો સાધનામાં પ્રેમ ને શ્રદ્ધા ઉત્પન્ન કરનારી ને ભોગો પ્રત્યે વૈરાગ્યબુદ્ધિ જગાવનારી હોય તો અક્લિષ્ટ, અને એમ ન હોય તો ક્લિષ્ટ કહેવાય છે.

*

१०. अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा ।
1.10 abhava pratyaya alambana vruttir nidra

માણસને જે વખતે કોઇયે વિષયનું જ્ઞાન રહેતું નથી, ફક્ત જ્ઞાનના અભાવની જ પ્રતીતિ થાય છે, તે જ્ઞાનના અભાવનું જ્ઞાન જે ચિત્તવૃત્તિને આધારે રહે છે તે વૃત્તિ નિદ્રા કહેવાય છે.

નિદ્રા પણ ક્લિષ્ટ અને અક્લિષ્ટ - એમ બે જાતની હોય છે. જેને પરિણામે માણસના તન, મન અને અંતરમાં સાત્વિક ભાવ ભરાઇ જાય, આળસનો અંત આવે તથા સાધનામાં જે સહાયક થઇ પડે, તે નિદ્રા અક્લિષ્ટ છે. બીજી જાતની નિદ્રા ક્લિષ્ટ કહેવાય છે.

Samadhi Pada : Verse 11 - 15

११. अनुभूतविषयासंप्रमोषः स्मृतिः ।
1.11 anubhuta vishaya asampramoshah smrutih

જુદી જુદી વૃત્તિઓ દ્વારા અનુભવવામાં આવેલા વિષયોના સંસ્કાર ચિત્તમાં પડ્યા હોય છે. કોઇ નિમિત્તને લીધે તે ફરીવાર જાગી જાય કે પ્રકટ થાય, તેને સ્મૃતિ કહે છે.

સ્મૃતિ પણ ક્લિષ્ટ કે અક્લિષ્ટ એમ બે જાતની છે. સાધના ને જીવનની ઉન્નતિમાં મદદ કરનારી સ્મૃતિને અકલિષ્ટ, અને તે સિવાયની બીજી જાતની સ્મૃતિને ક્લિષ્ટ સ્મૃતિ કહે છે.

*

१२. अभ्यासवैराग्याभ्यां तन्निरोधः ।
1.12 abhyasa vairagyabhyam tat nirodhah

ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાના બે ઉપાય છે - અભ્યાસ અને વૈરાગ્ય.

*

१३. तत्र स्थितौ यत्नोऽभ्यासः ।
1.13 tatra sthitau yatnah abhyasa

સ્વભાવથી ચંચલ એવા મનને સ્થિર કરવા માટે વારંવાર પ્રયાસ કરવો તે અભ્યાસ કહેવાય છે.

*

१४. स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ।
1.14 sah tu dirgha kala nairantaira satkara asevitah drudha bhumih

તે અભ્યાસ લાંબા વખત લગી, નિરંતર, ઉત્સાહ ને પ્રેમપૂર્વક તથા સંપૂર્ણપણે કરતા રહેવાથી છેવટે પરિપક્વ કે દૃઢ થઇ શકે છે.

*

१५. दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ।
1.15 drusta anushravika vishaya vitrushnasya vashikara sanjna vairagyam

જોયેલા કે સાંભળેલા વિષયો પરથી જ્યારે મન ઉપરામ થઇ જાય અથવા તૃષ્ણારહિત બની જાય, ત્યારે તે વિષયોને મેળવવાની ઇચ્છાનો અંત આવી જાય છે. તેવા કામના વિનાના ચિત્તની જે વશીકાર નામની અવસ્થા છે તે વૈરાગ્ય કહેવાય છે.

Samadhi Pada : Verse 16 - 20

१६. तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम् ।
1.16 tat param purusha khyateh guna vaitrushnyam

પુરુષના જ્ઞાનથી પ્રકૃતિના ગુણોમાં તૃષ્ણાનો છેક અભાવ થઇ જાય છે તેને પર અથવા ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય કહેવામાં આવે છે.

ઉપર કહેલા સાધારણ વૈરાગ્યથી જ્યારે માણસની વિષય તૃષ્ણા બંધ પડે છે, ને તેના ચિત્તનો પ્રવાહ પોતાના ધ્યેયના અનુભવમાં એકાગ્ર થઇ જાય છે, ત્યારે સમાધિની દૃઢતા થવાથી પ્રકૃતિ ને પુરુષ સંબંધી વિવેકજ્ઞાન પ્રકટ થાય છે. ત્યારે ત્રણ ગુણ ને તેમના કાર્યમાં કોઇ જાતની દ્વિધા કે આસક્તિ નથી રહેતી. તે વખતે તે નિષ્કામ ને આત્મારામ બની જાય છે. એ દશાને પરવૈરાગ્ય કહેવામાં આવે છે.

*

१७. वितर्कविचारानन्दास्मितारूपानुगमात् संप्रज्ञातः ।
1.17 vitarka vichara ananda asmita rupa anugamat samprajnatah

વિતર્ક, વિચાર, આનંદ ને અસ્મિતા - એ ચારેના સંબંધવાળા ચિત્તવૃત્તિના સમાધાનને સંપ્રજ્ઞતા યોગ કહે છે.

સંપ્રજ્ઞતા યોગના ધ્યેય પદાર્થ ત્રણ કહ્યા છે :

૧) ઇન્દ્રિયોના સ્થૂલ ને સૂક્ષ્મ વિષય
૨) ઇન્દ્રિયો ને અંતઃકરણ
૩) બુદ્ધિ સાથે એકતા અનુભવનારો પુરુષ.

પહેલા પ્રકારના પદાર્થોના વિષયોના સ્થૂલ રૂપમાં સમાધિ થાય છે, ત્યારે જ્યાં સુધી સમાધિમાં શબ્દ, અર્થ ને જ્ઞાનનો વિકલ્પ કાયમ રહે છે, ત્યાં સુધી તે સવિતર્ક સમાધિ કહેવાય છે, ને જ્યારે તેનો વિકલ્પ નથી રહેતો, ત્યારે નિર્વિતર્ક સમાધિ કહેવાય છે.

તે પ્રમાણે બીજા પ્રકારના પદાર્થોના સૂક્ષ્મ રૂપમાં સમાધિ કરવામાં આવે છે, ત્યારે જ્યાં સુધી તે સમાધિમાં શબ્દ, અર્થ ને જ્ઞાનનો વિકલ્પ રહે છે, ત્યાં સુધી તે સવિચાર ને જ્યારે તેનો વિકલ્પ નથી રહેતો તે નિર્વિચાર સમાધિ કહેવાય છે.

નિર્વિચાર સમાધિમાં જ્યારે વિચાર નથી રહેતો, પણ અહંકાર રહે છે ને આનંદનો અનુભવ થાય છે, ત્યારે તે આનંદાનુગત સમાધિ કહેવાય છે, ને જ્યારે આનંદનો અનુભવ પણ નથી થતો, ત્યારે તે અસ્મિતાનુગત સમાધિ કહેવાય છે.

*

१८. विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः ।
1.18 virama pratyaya abhyasa purvah samskara shesha anyah

પરવૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી મન સાંસારિક પદાર્થોમાં રમતું નથી. તે ઉપરામ દશાને વિરામ-પ્રત્યય પણ કહે છે. ઉપરામ દશાના અનુભવમાં સાધના જ્યારે શમી જાય છે, ત્યારે ચિત્તવૃત્તિ શાંત થઇ જાય છે.

*

१९. भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम् ।
1.19 bhava pratyayah videha prakruti layanam

વિદેહ ને પ્રકૃતિલય યોગીઓનો ઉપર કહેલો યોગ ભવપ્રત્યય કહેવાય છે.

પૂર્વજન્મમાં સાધના કરતાં કરતાં જે વિદેહ દશા સુધી પહોંચી ચૂક્યા હોય અથવા સ્થૂલ શરીરના બંધનથી છૂટીને શરીરથી પર થવાના અભ્યાસમાં પ્રવીણ થઇ શક્યા હોય, તેમજ જે પ્રકૃતિનો લય કરવાની કળામાં પણ પાવરધા થયા હોય, પણ કૈવલ્યની પ્રાપ્તિ પહેલાં જ મરણ પામ્યા હોય, તે બંને જાતના યોગી પુનર્જન્મ પામી યોગીકુલમાં જન્મે છે ને વિશેષ જાતના સાધનાના ક્રમ વિના જ નિર્બીજ સમાધિને મેળવી લે છે. એમની સમાધિ ભવપ્રત્યય કહેવાય છે. તેની સિદ્ધિમાં કોઇ સાધના કારણરૂપ થતી નથી પણ મનુષ્યજન્મની ફરી પ્રાપ્તિ જ કારણરૂપ છે.

*

२०. श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम् ।
1.20 shraddha virya smruti samadhi prajna purvakah itaresham

બીજા સાધકોનો યોગ શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ ને પ્રજ્ઞાની મદદથી સિદ્ધ થાય છે.

શ્રદ્ધા વિના સાધના થાય નહિ. સાધકને પોતાની જાતમાં શ્રદ્ધા જોઇએ. તેની સાથે આત્મિક તાકાત જોઇએ. જીવનના જટિલ વાતાવરણમાં સાવધ રહીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવાની તમન્ના જોઇએ. વિષયોથી મનને ઉપરામ કરીને સમાધિમાં ડૂબાડવાનો અભ્યાસ જોઇએ. સમાધિથી અંતઃકરણ પવિત્ર થઇ જાય છે ને સાધકની બુદ્ધિ ઋતંભરા એટલે સત્યને ધારણ કરનારી થઇ જાય છે. તેથી નિર્બીજ સમાધિની પ્રાપ્તિ સરળ થાય છે.

Samadhi Pada : Verse 21 - 25

२१. तीव्रसंवेगानाम् आसन्नः ।
જેમની સાધના તીવ્ર હોય છે, તેમને યોગની સિદ્ધિ જલદી મળી જાય છે.
*
२२. मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः ।
સાધના માત્ર સાધારણ, મધ્યમ કે અધિક હોવાને લીધે તીવ્ર સંવેગવાળા સાધકોની યોગસિદ્ધિમાં પણ કાળનો ભેદ થઇ જાય છે પોતપોતાની યોગ્યતા પ્રમાણે જુદાજુદા માણસો તેને વહેલું કે મોડું પૂરું કરે છે. માટે સાધકે પુરુષાર્થમાં શિથિલતા ના આવવા દેવી જોઇએ. સાધના સતત રીતે ચાલુ રાખવી જોઇએ.
*
२३. ईश्वरप्रणिधानाद् वा ।
ઇશ્વરની ભક્તિ કે શરણાગતિ ઇશ્વરપ્રણિધાન કહેવાય છે. તેથી પણ નિર્બીજ સમાધિ અથવા પોતાની સિદ્ધિ થઇ શકે છે.
ઇશ્વર સર્વ શક્તિમાન છે. તે ભક્ત પર પ્રસન્ન થઇને તેની બધી જ ભાવના પૂરી કરે છે.
*
२४. क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ।
જે ક્લેશ, કર્મ, વિપાક ને આશયના સંબંધથી રહિત તથા બધા પુરુષોથી ઉત્તમ છે તે ઇશ્વર છે.
ક્લેશ પાંચ છે - અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ.
કર્મ ચાર જાતનાં - પુણ્ય, પાપ, પુણ્ય ને પાપના મિશ્રણવાળાં ને પુણ્ય ને પાપથી રહિત.
વિપાક એટલે કર્મોનું ફલ. આશય એટલે કર્મોના સંસ્કાર.
સર્વ જીવોનો આ ચારથી અનાદિ સંબંધ કહેવાય છે. મુક્ત જીવો પાછળથી આ સંબંધથી મુક્ત થાય છે, પણ પહેલા તો તેમને પણ આ સંબંધ હોય છે. પરન્તુ ઇશ્વર તે સંબંઘથી સર્વથા મુક્ત હતા, છે ને રહેશે. તેથી તે મુક્ત કોટિના પુરુષોથી પણ ઉત્તમ છે. માટે જ પુરુષ વિશેષ છે.
*
२५. तत्र निरतिशयं सर्वज्ञ्त्वबीजम् ।
તે ઇશ્વરમાં સર્વજ્ઞતાનું કારણ જ્ઞાન નિરતિશય એટલે પૂર્ણપણે રહેલું છે.
જેનાથી વધે એવી કોઇ વસ્તુ ના હોય તે નિરતિશય કહેવાય છે. ઇશ્વર જ્ઞાનની પૂર્ણતા છે. તેમના જ્ઞાનથી વધે તેવું જ્ઞાન બીજા કોઇનું નથી. તે જ રીતે ધર્મ, વૈરાગ્ય, યશ, ઐશ્વર્ય ને શક્તિની દૃષ્ટિએ પણ તે અજોડ છે.

Samadhi Pada : Verse 26 - 30

२६. स पूर्वेषाम् अपि गुरुः कालेनानवच्छेदात् ।
ઇશ્વર, પૂર્વે થઇ ગયેલા સૌના ગુરૂ છે. કાળ તેમને સ્પર્શી કે તેમનો નાશ કરી શકતો નથી.
બ્રહ્મા સૃષ્ટિની શરૂઆતમાં ઉત્પન્ન થયા છે. તેથી તે સૌના ગુરૂ છે. તેમનું આયુષ્ય પણ લાંબુ છે. છતાં તેમને પણ કાળ છોડતો નથી. ઇશ્વર જ સૌના સ્વામી, સર્જનહાર ને અનાદિ છે. તે કાળના પણ કાળ છે. તેથી તે સૌથી ઉત્તમ, મહાન ને પુરાતન કહેવાય છે. જ્ઞાનના વિગ્રહ હોવાથી તે સૌના ગુરૂ છે.
*
२७. तस्य वाचकः प्रणवः ।
ઓમકાર તે ઇશ્વરનું નામ છે. એવાં બીજાં કેટલાય નામ છે તેમાં ઓમકાર મુખ્ય છે.
*
२८. तज्जपस्तदर्थभावनम् ।
એ ઓમકારના જપ, તેના અર્થનું મનન તથા તેના અર્થસ્વરૂપ ઇશ્વરનું ચિંતન કરવું જોઇએ. એવી સાધનાથી ઇશ્વરની કૃપા ને તેના પરિણામે યોગસાધનાની સિદ્ધિ થઇ શકે છે.
*
२९. ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ।
એ પ્રકારના અભ્યાસથી બધી જાતનાં વિઘ્નો દૂર થાય છે, ને આત્માનું વાસ્તવિક જ્ઞાન પણ મળી જાય છે. તેથી કૈવલ્યદશા સહજમાં પ્રાપ્ત થાય છે.
*
३०. व्याधि स्त्यान संशय प्रमादालस्याविरति भ्रान्तिदर्शनालब्धभूमिकत्वा नवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ।
ચિત્તના વિક્ષેપ અથવા સાધનામાં આવતાં વિઘ્નો નવ જાતના છેઃ- વ્યાધિ, સ્ત્યાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિકત્વ ને અનવસ્થિતત્વ.
૧) તન, મન કે અંતરના રોગને વ્યાધિ કહે છે. એમાં ગાંડપણનો સમાવેશ પણ થઇ શકે.
૨) સાધના ના કરવાનો અથવા અકર્મણ્ય બનીને બેસી રહેવાનો સ્વભાવ સ્ત્યાન કહેવાય છે.
૩) પોતાની જાતમાં, સાધનાના ક્રમમાં, ફળમાં કે પુરુષાર્થમાં શંકા થાય તે સંશય છે.
૪) સાધના કરવામાં નિયમિત ના રહેવું ને બેપરવા બનવું તે પ્રમાદ કહેવાય છે.
૫) તમોગુણને લીધે સાધના કરવાનું મુલતવી રખાય તે આળસ કહેવાય છે.
૬) વિષયોમાં આસક્તિ થવાથી અથવા કોઇ બીજા કારણને લીધે શરૂઆતનો તીવ્ર વૈરાગ્ય પાછળથી ઢીલો પડી જાય ને બિલકુલ દૂર પણ થઇ જાય તેને અવિરતિ કહેવામાં આવે છે.
૭) સાધના સંબંધી ગેરસમજ ઉત્પન્ન થવી, બુદ્ધિભ્રમ થવો ને સાધનાના માર્ગમાં આવતાં જુદાંજુદાં દર્શનના અનુભવથી કૃતકૃત્ય બની બેસી જવું એ ભ્રાંતિદર્શન છે.
૮) સાધના કરતા રહેવા છતાં કોઇ કારણથી ઉચ્ચ ભૂમિકાની પ્રાપ્તિ ના થાય તો સાધકનો ઉત્સાહ શમી જાય તેને અલબ્ધભૂમિકત્વ કહે છે.
૯) સાધના દ્વારા જે દશા મળે તે દશા કાયમ ના રહે, કોઇ કારણથી તેનાથી ઉતરતી ને કેટલીકવાર વિરુદ્ધ દશામાં પણ સાધકને રહેવું પડે, તેને અનવસ્થિતત્વ કહે છે.

Samadhi Pada : Verse 31 - 35

३१. दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः ।
એની સાથે થનારાં બીજાં પાંચ વિઘ્નો આ પ્રમાણે છેઃ- દુઃખ, દૌર્મનસ્ય, અંગમેજયત્વ, શ્વાસ ને પ્રશ્વાસ
૧) આધ્યાત્મિક, આધિભૌતિક ને આધિદૈવિક દુઃખ.
૨) ઇચ્છા પૂરી ના થવાથી મનમાં થનારા ક્ષોભને દૌર્મનસ્ય કહે છે.
3) અંગમાં કંપ થાય તેને અંગમેજયત્વ કહે છે.
૪) બાહ્યકુંભકમાં મુશ્કેલી થાય તેને શ્વાસ કહે છે.
૫) અંદરના કુંભકમાં મુશ્કેલી થાય, શ્વાસ બહાર કાઢવામાં વ્યવસ્થિત ના રહેવાય, તે પ્રશ્વાસનું વિઘ્ન કહેવાય છે.
*
३२. तत्प्रतिषेधार्थम् एकतत्त्वाभ्यासः ।
એ વિઘ્નોને દૂર કરવા માટે એક તત્વનો અભ્યાસ કરવો જોઇએ. એટલે કે કોઇ એક વસ્તુમાં ચિત્તને સ્થિર કરવાનો અભ્યાસ કરવો જોઇએ. તેથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે, ને વિઘ્નો ટળી જાય છે.
*
३३. मैत्रीकरुणामुदितोपेक्षणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ।
સુખી મનુષ્યોમાં મિત્રતાની ભાવના કરવી. દુઃખી મનુષ્યોને જોઇને દયાની ભાવના કરવી. પુણ્યાત્મા પુરુષોને જોઇને પ્રસન્નતાની ભાવના કરવી. ને પાપી તરફ ઉપેક્ષા કે ઉદાસીનતાની ભાવના કેળવવી. તેમ કરવાથી જુદીજુદી જાતની અશુદ્ધિનો નાશ થાય છે, ને ચિત્ત નિર્મલ, શાંતિમય ને પ્રસન્ન થઇ જાય છે.
*
३४. प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य ।
અથવા તો પ્રાણવાયુને બહાર કાઢવાના ને રોકવાના અભ્યાસથી પણ શરીરની નાડીઓનો મળ દૂર થાય છે, ને ચિત્ત નિર્મળ બને છે.
*
३५. विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धिनी ।
વિષયવાળી પ્રવૃત્તિ ઉત્પન્ન થવાથી તે પણ મનને બાંધનારી અથવા સ્થિર કરનારી થઇ પડે છે.
સાધનામાં આગળ વધતા સાધકને દિવ્ય વસ્તુ કે વિષયોનું દર્શન થાય છે. એ દિવ્ય વિષયોનો અનુભવ કરનારી વૃત્તિ વિષયવતી પ્રવૃત્તિ કહેવાય છે. એવી પ્રવૃત્તિથી સાધકનો વિશ્વાસ વધી જાય છે. માનસિક સ્થિતિમાં તે મદદરૂપ થઇ પડે છે.

Samadhi Pada : Verse 36 - 40

३६. विशोका वा ज्योतिष्मती ।
તે ઉપરાંત, સાધના કરતાં કરતાં સાધકને શોકરહિત પ્રકાશમય પ્રવૃત્તિનો અનુભવ થઇ જાય તો પણ મનને સ્થિર કરવામાં મોટી મદદ મળે છે.
*
३७. वीतरागविषयं वा चित्तम् ।
રાગરહિત ચિત્ત પણ જલદી સ્થિર થઇ શકે છે. અથવા તો જેમના રાગદ્વેષ કાયમ માટે દૂર થઇ ગયા છે, એવા વિરક્ત મહાપુરુષોને ધ્યેય બનાવવાથી ને અભ્યાસ કરવાથી પણ ચિત્ત સ્થિર થઇ શકે છે.
*
३८. स्वप्ननिद्राज्ञानालम्बनं वा ।
સ્વપ્ન ને નિદ્રાના જ્ઞાનનું અવલંબન કરનારું ચિત્ત પણ સ્થિર થઇ શકે છે.
સ્વપ્નમાં કેટલીકવાર ઇશ્વરદર્શન, કોઇ મહાપુરુષનાં દર્શન અથવા કોઇ મંત્ર કે જ્ઞાન મળવાનો અનુભવ થાય છે. તેને યાદ કરી, તેમાં મન લગાડીને સાધના કરવાથી પણ મન સ્થિર થાય છે. તે પ્રમાણે ગાઢ નિદ્રામાં ફક્ત ચિત્તની વૃત્તિઓના અભાવનું જ્ઞાન રહે છે. તેને નજરમાં રાખીને સાધના કરવાથી ચિત્ત સહેલાઇથી સ્થિર થાય છે.
*
३९. यथाभिमतध्यानाद् वा ।
અથવા પોતપોતાની માન્યતા ને રુચિ પ્રમાણે ધ્યાન કરવાથી પણ મન સ્થિર થઇ શકે છે. આ સૂત્રમાં વિશાળતા, ઉદારતા અને સર્વમત સમભાવનું દર્શન થાય છે.
*
४०. परमाणु परममहत्त्वान्तोऽस्य वशीकारः ।
ચિત્ત જ્યારે સ્થિર થવાના અભ્યાસમાં પાવરધું બની જાય, ત્યારે પરમાણુથી લઇને પરમ મહત્વ સુધીના સઘળા પદાર્થો તેને વશ થઇ જાય છે.
અભ્યાસ દ્વારા મન જ્યારે બરાબર સ્થિર થાય, ત્યારે સાધકનો પોતાના મન પર પૂરો અધિકાર થઇ જાય છે. ત્યારે તે પોતાના મનને સૂક્ષ્માતિસૂક્ષ્મ પદાર્થોથી માંડીને મોટામાં મોટા વિરાટ પદાર્થો સુધી ગમે ત્યાં સ્થિર કરી શકે છે.

Samadhi Pada : Verse 41 - 45

४१. क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनतासमापत्तिः ।
સઘળી બાહ્ય વૃત્તિઓ ક્ષીણ પામી હોય તેવું સ્ફટિકમણિ જેવું નિર્મળ ચિત્ત ગ્રહીતા (એટલે પુરુષ), ગ્રહણ (અંતઃકરણ ને ઇન્દ્રિયો) ને ગ્રાહ્ય (એટલે પંચમહાભૂત ને વિષયો) માં સ્થિત થઇને તદાકાર બની જાય, તે સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય છે.
અભ્યાસ દ્વારા સાધકનું મન સ્ફટિકમણિ જેવું છેક નિર્મલ થઇ જાય, તે ધ્યેય પદાર્થમાં જ વહેવા માંડે ને તે સિવાયની તેની બીજી બધી વૃત્તિ શાંત પડી જાય તેવી દશામાં ઇન્દ્રિયોના સ્થૂલ કે સૂક્ષ્મ વિષય, અંતઃકરણ ને ઇન્દ્રિયો અથવા બુદ્ધિસ્થ પુરુષ, જેમાં પણ સાધક પોતાના મનને લગાડે તેમાં તન્મય થઇને તે વહેવા માંડે છે. તેને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. એ સમાધિમાં સાધકને ધ્યેય વસ્તુના સ્વરૂપનું બરાબર જ્ઞાન થઇ જાય છે.
*
४२. तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः ।
એમાં શબ્દ, અર્થ ને જ્ઞાન - એ ત્રણના વિકલ્પોથી મિશ્રિત સમાધિ સવિતર્ક કહેવાય છે.
જ્યારે કોઇપણ એક સ્થૂલ પદાર્થને લક્ષ્ય બનાવીને તેના સ્વરૂપને જાણવા માટે સાધક પોતાના મનને તેમાં લગાડી દે છે, ત્યારે શરૂઆતમાં તેને જે અનુભવ થાય છે તેમાં તે વસ્તુનાં નામ, રૂપ ને જ્ઞાનના વિકલ્પોનું મિશ્રણ હોય છે. તેના સ્વરૂપની સાથે સાથે તેના નામ ને અનુભૂતિનું જ્ઞાન પણ ચિત્તને થતું હોય છે તેથી તે સવિતર્ક સમાધિ છે.
*
४३. स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का ।
તે પછી, સાધકના ચિત્તમાંથી ધ્યેય વસ્તુના નામની સ્મૃતિ ચાલી જાય, તેને અનુભવનારી ચિત્તવૃત્તિનું સ્મરણ પણ ના રહે, ત્યારે પોતાના સ્વરૂપનું પણ ભાન ના રહેવાને લીધે સ્વરૂપના અભાવ જેવી દશાની પ્રાપ્તિ થાય છે. બધી જાતના વિકલ્પોનો અભાવ થઇ જવાને લીધે કેવલ ધ્યેય પદાર્થની સાથે તન્મય થયેલું ચિત્ત ધ્યેયનો આભાસ માત્ર કરે છે. તેનું નામ નિર્વિતર્ક સમાધિ છે. એમાં શબ્દ કે અનુભૂતિનો કોઇ વિક્લ્પ રહેતો નથી. માટે તે નિર્વિકલ્પ સમાધિ પણ કહેવાય છે.
*
४४. एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता ।
આટલા સવિતર્ક ને નિવિતર્ક સમાધિના વર્ણનથી સૂક્ષ્મ પદાર્થોમાં કરાતી સવિચાર ને નિર્વિચાર સમાધિનું વર્ણન પણ થઇ ગયું સમજવું.
સ્થૂલ ધ્યેય પદાર્થોમાં કરાતી સમાધિના જેમ બે ભેદ છે તેમ સૂક્ષ્મ ધ્યેય પદાર્થોમાં કરાતી સમાધિ પણ બે જાતની છે. કોઇ સૂક્ષ્મ ધ્યેય પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે જ્યારે ચિત્તને તેમાં સ્થિર કરવામાં આવે છે, ત્યારે પહેલાં તેનાં નામ, રૂપ ને જ્ઞાનના વિકલ્પવાળો અનુભવ થાય છે. તે સવિચાર સમાધિ કહેવાય છે. ને તે પછી જ્યારે નામ કે જ્ઞાનનું અથવા ચિત્તના સ્વરૂપનું પણ સ્મરણ નથી રહેતું, ને કેવલ ધ્યેય પદાર્થોનો જ અનુભવ બાકી રહે છે, ત્યારે તેને નિર્વિચાર સમાધિ કહેવામાં આવે છે.
*
४५. सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् ।
સૂક્ષ્મ વિષયની સીમા પ્રકૃતિ સુધી છે.
પૃથ્વીનો સૂક્ષ્મ વિષય ગંધતન્માત્રા, પાણીનો રસતમાન્ત્રા, તેજનો રૂપતન્માત્રા, વાયુનો સ્પર્શતન્માત્રા ને આકાશનો શબ્દતન્માત્રા છે. ને તે સૌનો ને મન સાથે ઇન્દ્રિયોનો સૂક્ષ્મ વિષય અહંકાર, અહંકારનો મહાતત્વ ને મહાતત્વનો સૂક્ષ્મ વિષય અથવા કારણ પ્રકૃતિ છે. એની આગળ કોઇ સૂક્ષ્મ પદાર્થ નથી. તે જ સૂક્ષ્મતાની સીમા છે. તેથી પ્રકૃતિ સુધીના કોઇયે સૂક્ષ્મ પદાર્થોને લક્ષ્ય બનાવીને તેમાં કરેલી સમાધિ સવિચાર તથા નિર્વિચાર સમાધિમાં ગણી શકાય.

Samadhi Pada : Verse 46 - 51

४६. ता एव सबीजः समाधिः ।
તે બધી જ સબીજ સમાધિ કહેવાય છે.
આ બધી સમાધિ સબીજ કહેવાય છે કેમ કે એમાં કોઇ ને કોઇ ધ્યેયપદાર્થને વિષય કરનારી ચિત્તવૃત્તિ બીજરૂપે કાયમ રહે છે. વૃત્તિઓનો પૂરેપૂરો નિરોધ ના થવાને લીધે આ બધી સમાધિમાં કૈવલ્યદશાની પ્રાપ્તિ નથી થતી.
*
४७. निर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः ।
નિર્વિચાર સમાધિના અભ્યાસથી ચિત્ત નિર્મળ થતાં યોગીને અધ્યાત્મપ્રસાદની પ્રાપ્તિ થાય છે. યોગીની બુદ્ધિ તદ્દન નિર્મળ બની જાય છે.
*
४८. र्तंभरा तत्र प्रज्ञा ।
એ વખતે યોગીની બુદ્ધિ ઋતંભરા થઇ જાય છે. ઋતંભરા એટલે સત્યપરાયણ : વસ્તુના સાચા સ્વરૂપને ગ્રહણ કરનારી.
*
४९. श्रुतानुमानप्रज्ञाभ्याम् अन्यविषया विशेषार्थत्वात् ।
વેદ, શાસ્ત્ર તથા મહાપુરુષોનાં વચનોથી વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય છે. તે દ્વારા મળેલી માહિતી કે બુદ્ધિ શ્રુતબુદ્ધિ કહેવાય છે. તે રીતે અનુમાન દ્વારા વસ્તુના સ્વરૂપના થનારા નિશ્ચયને અનુમાનબુદ્ધિ કહે છે. આ બંને કરતાં પ્રજ્ઞા વિલક્ષણ ને શ્રેષ્ઠ છે. કેમ કે પ્રજ્ઞાથી વસ્તુના સ્વરૂપનું સાંગોપાંગ, યથાર્થ ને પૂર્ણ જ્ઞાન થઇ જાય છે.
*
५०. तज्जः संस्कारो न्यसंस्कारप्रतिबन्धी ।
એથી ઉત્પન્ન થનારા સંસ્કાર બીજા સંસ્કારોને દૂર કરી દે છે.
માણસ જે કાર્ય કરે છે કે અનુભવે છે તેના સંસ્કાર તેના અંતઃકરણમાં એકઠા થાય છે. તે કર્માશય કહેવાય છે. તેના નાશથી જ માણસને મુક્તિ મળી શકે છે. પ્રજ્ઞાની પ્રાપ્તિથી માણસને પ્રકૃતિના યથાર્થ રૂપનું જ્ઞાન થાય છે. તેથી પ્રકૃતિ ને તેના કાર્યોમાં તેને વૈરાગ્ય થાય છે. એ વૈરાગ્યના સંસ્કારથી પહેલાંના એકઠા થયેલા રાગદ્વેષમય સંસ્કારોનો નાશ થઇ જાય છે, ને યોગી મુક્તદશાની પાસે પહોંચી શકે છે.
*
५१. तस्यापि निरोधे सर्वनिरोधान् निर्बीजः समाधिः ।
એનો પણ નિરોધ થવાથી, સર્વનો નિરોધ થવાને લીધે, નિર્બીજ સમાધિ થાય છે.
છેવટે, ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલા સંસ્કારોમાં પણ આસક્તિ ના રહેવાથી તેનો પણ નિરોધ થઇ જાય છે. તેનો નિરોધ થવાથી સર્વ સંસ્કારોનો નિરોધ આપોઆપ થઇ જાય છે. એટલે કર્માશય દૂર થાય છે. સંસારના બીજનો અભાવ થઇ જાય છે. તેથી તે દશાને નિર્બીજ સમાધિ કહે છે. કૈવલ્યદશા પણ તે જ છે.
 
॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे प्रथमः समाधिपादः ॥
॥ સમાધિપાદ સમાપ્ત ॥